SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ અગર આત્મારૂપી અધિષ્ઠાનનાં અજ્ઞાનથી જન્મેલો જે અહંકાર છે, તે અહંકારને વળગીને અજ્ઞાની “હું કર્તા', “ભોક્તા', “હું બળવાન શરીર છું', એવી ભ્રાંતિને અભિવ્યક્ત કરે છે અને સચ્ચિદાનંદ આત્માને આચ્છાદિત કરે છે. જેવી રીતે સૂર્યના તેજથી ઉત્પન્ન થયેલું વાદળું જ સ્વયં સૂર્યને આચ્છાદિત કરી કે ઢાંકી દઈ પોતાના સ્વરૂપને જ અભિવ્યક્ત કરે છે; અગર કેરોસીન કે તેલથી પ્રકાશતું ફાનસ કે દીવો લાંબો સમય પ્રકાશે છે ત્યારે તેના પ્રકાશથી જ ઉત્પન્ન થયેલી કાળી મેશ ચીમની ઉપર આવરણ ઊભું કરે છે અને અંતે પ્રકાશમાન દીપકને જ આચ્છાદિત કરી દઈ કાળી મેશનું જ પ્રદર્શન કરે છે. તેવી જ રીતે અહંકાર, આત્માને આચ્છાદિત કરી, “હું કર્તા', “સુખી', “હું ધનવાન’, ‘સત્તાધીશ”, “રૂપાળો', વિદ્વાન’, ‘હું ભોક્તા’, ‘હું દાની’, ‘પુણ્યશાળી', વગેરે અભિવ્યક્તિથી અહંકારનું જ પ્રદર્શન કરે છે. (છંદ-માલિની) कवलितदिननाथे दुर्दिने सान्द्रमेघै wथयति हिमझञ्झावायुरुग्रो यथैतान् । अविरततमसात्मन्यावृते मूढबुद्धिं क्षपयति बहुदुःखैस्तीव्रविक्षेपशक्तिः ॥१४५॥ यथा * = જેમ વ્યથતિ = હેરાન કરે છે (તેમ) સાન્ટમેર્ધઃ સુર્તિને ઘાટાં વાદળાંને અવિરતતમસા = ગાઢ તમોગુણથી કારણે છવાયેલા અને માતૃતે માત્મનિ= આત્મા ઢંકાઈ જતાં અંધારાવાળા દિવસે તીવિક્ષેપશ: = રજોગુણની વનિતરિનનાથે= સૂર્ય ઢંકાઈ જતાં બળવાન વિક્ષેપશક્તિ : = તોફાની વદુઃઃ = બહુપ્રકારનાં દુઃખોથી દિગ્લિાવાયુ = ટાઢો વંટોળીયો મૂઢમ્િ = વિવેકહીન મૂઢને તા = લોકોને સંપતિ = હેરાન કરે છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy