SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ આક્રમણથી શરીરને પુષ્ટ કરવાના પ્રયત્નોમાં અંતે શરીરનો નાશ સર્જે છે. કારણ કે કોઈ પણ વસ્તુ કે ભોગની અતિને જ વાસ્તવમાં ઝેર કહેવામાં આવે છે. “ANYTHING IN EXCEss IS POISON” આમ, દેહના પોષણમાં રત રહેલો અજ્ઞાની જાતે જ પોતાનો વિનાશ નોંતરે છે. તેનું મુખ્ય કારણે પૂર્વે સમજાવેલી અવિદ્યા જ છે. વાસ્તવમાં તો તેવા અજ્ઞાનીએ દેહની અનિત્યતા અને વિષયભોગની નશ્વરતા સમજવી જોઈએ. જ્યારે તેને, દેહ અને તેના ભોગ્યપદાર્થો નાશવંત છે તેવું સમજાશે ત્યારે જ તેની વિષયદોટ બંધ થશે. નહિ તો તે શરીરના પોષણ માટે, દેહની સુખાકારી માટે, કે વિષયભોગ માટે જીવનનો અમૂલ્ય સમય બરબાદ કરશે કે વિષયદોટમાં રત રહેશે. ભોગજન્ય દુઃખ દૂર કરવાને બદલે તે નિત્ય તેની વૃદ્ધિ જ કર્યા કરશે. માટે મુમુક્ષુએ દેહાસક્તિ કે દહેતાદાભ્ય તોડી આત્મચિંતનાર્થે તત્પર થવું જોઈએ. | (છંદ–અનુષ્ટ્રપ) शरीरपोषणार्थी सन् य आत्मानं दिदृक्षति । ग्राहं दारुधिया धृत्वा नदी तर्तुं स इच्छति ॥८६॥ શરીરપોષણાર્થી = સ્થૂળ દેહના લાલન- સઃ ગ્રામ્= તે મગરને પાલનમાં રચ્યો પચ્યો રધિયા = લાકડું માની सन् = હોવા છતાં ધૃતા = તેને પકડીને = જે મનુષ્ય) નવી+ = નદી માત્માનમ્ = આત્માનો તરૂં = તરવાની दिदृक्षति = સાક્ષાત્કાર ઇચ્છે છે રૂછતિ = ઇચ્છા કરે છે! પ્રસ્તુત શ્લોકમાં અવિદ્યાગ્રસ્ત અજ્ઞાની માટે એક માર્મિક કટાક્ષ જોવામાં આવે છે. તત્ત્વાર્થ તો હું શરીર નથી જ, છતાં અજ્ઞાની કે જેણે શરીર સાથે તાદાભ્ય કરી, હું દેહ છું', તેવો નિર્ણય કર્યો છે તેવો જડ દેહમાં આત્મબુદ્ધિ રાખનારો કે નાશવંત શરીરને અવિનાશી આત્મા માનનારો કદાપિ આત્મસાક્ષાત્કાર કરી શકે નહીં. જે પોતાને શરીર સમજે છે તે તો શરીરના મૃત્યુ સાથે જ મરણ પામે છે પછી તે કઈ રીતે હું અજર અમર આત્મા છું તેવું
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy