________________
૧૨૧
સમજાવવા માટે જ ઉપનિષદમાં જણાવ્યું છે કે ગુરુ પાસે આત્માના જ્ઞાનની પ્રાપ્તિ માટે હાથમાં સમિધા સૂકાં લાકડાં લઈ ઉપસ્થિત થવું અને અહીં પણ ગુરુનો પરિચય આપતાં જણાવાયું છે કે ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. તેવા ગુરુ સમીપ હાથમાં સમિધા લઈ ઉપસ્થિત થઈ શિષ્ય સંકેત દ્વારા જણાવે છે કે, “હે ગુરુ! હું મળ અને વિક્ષેપ અર્થાત રાગ-દ્વેષ અને ચંચળતાથી મુક્ત થઈ આ સૂકાં કાષ્ઠવત થઈ આપ સમીપ આવ્યો છું. અગ્નિમાં જેમ સૂકાં લાકડાં ઝડપથી પ્રજવલિત થઈ જાય તેમ આપના સત્સંગ સાંનિધ્યથી આપના જ્ઞાનાગ્નિમાં મારા અજ્ઞાનને હોમી સત્ત્વ, રજસ અને તમસ એવા ત્રણ ગુણોથી મુક્ત કરી મને ભસ્માંકિત કરવાની કૃપા કરો.” આવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ એટલે કોણ? તેની સ્પષ્ટતા માટે દષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
રસ્તે જતાં એકવાર અમારી મોટર બગડી ગઈ. રસ્તાની બાજુમાં આવેલા ગેરેજમાં ગાડીને ધક્કો મારી સમારકામ માટે લઈ ગયા. ત્યાં કારીગરે દસ મિનિટમાં જ ગાડી ચાલુ કરી દીધી. સરળતાથી ઓછા સમયમાં ગાડી રીપેર કરી આપનાર મિકેનિકને પૂછ્યું કે, “ભાઈ! તે આ ગાડી આટલી ઝડપથી કેવી રીતે રીપેર કરી આપી?” ઉત્તર આપતાં તેણે કહ્યું, “કાબ્રેટરમાં કચરો આવી ગયો હતો,” તેને સાફ કરી નાંખ્યો એટલે ગાડી ચાલુ થઈ ગઈ. તેને કહ્યું, “તું મને પદ્ધતિસર આકૃતિ દોરીને ગાડીમાં થયેલ ખરાબી વિશે સમજાવ. આમ કહેતા તેણે જણાવ્યું કે ગાડી બગડે તો સાહેબ ફરીવાર મારી પાસે આવજો પરંતુ મને તેની યાંત્રિક ગોઠવણી વિશે સમજાવવાનું ફાવશે નહીં. ગાડીમાં ગમે તે ખરાબી હશે તેને હું તાત્કાલિક સરળતાથી દૂર કરી શકીશ પરંતુ તે કેમ થયું? કેવી રીતે થયું? અથવા તો તેને કેવી રીતે રીપેર કરવું તેવા તમારા પ્રશ્નોના ઉત્તર હું આપી શકીશ નહીં. ગાડીમાં બેસીને પ્રવાસ કરનારા અમને અમારા યંત્ર વિશેની વિશેષ માહિતી જાણવાની ઇચ્છા હતી, તેથી અમે તેની ઓફિસમાં બેઠેલા ઑટોમોબાઇલ એન્જિનીયરને મળ્યા; નવી ગાડીમાં આવું કેવી રીતે થાય તે સમજવા પ્રશ્નો કર્યા. એન્જિનીયર સાહેબે