SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ (છંદ-અનુષ્ટ્રપ) सर्वदा स्थापनं बुद्धेः शुद्धे ब्रह्मणि सर्वथा । તત્સમાધાનમયુક્ત ન તુ વિર્ય નાતનમ્ //રા વૃદ્ધ: = બુદ્ધિને સમાધાનમ્ = સમાધાન સર્વકા = હંમેશા રૂતિ = એમ સર્વથા = સર્વપ્રકારે ૩વતમ્ = કહ્યું છે. શુદ્ધ = શુદ્ધ તુ = પરંતુ બ્રહ્મળ = બ્રહ્મમાં વિરાસ્ય = ચિત્તના સ્થાપનમ્ = સ્થિર કરવી તાતનમ્ = લાલનપાલનને તત્ = તેને ન =(સમાધાન કહ્યું) નથી. સમાધાન ષટ્સપત્તિનું અંતિમ અંગ સમાધાન છે. તેને સમજાવતા શંકરાચાર્યજી ઉપદેશ છે કે, “સર્વ સમયે, સર્વ પ્રકારે બુદ્ધિને શુદ્ધ બ્રહ્મમાં જ સ્થિત કરવી તેને સમાધાન કહેવાય છે. વાસનાગ્રસ્ત ચિત્ત જે ઇચ્છે, જેની કામના કરે તેવા પદાર્થો કે સંજોગોને પ્રાપ્ત કરી ચિત્તના અજંપાને વાસનાતૃપ્તિથી જો દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેવા પ્રયત્નને સમાધાન કહેવાતું નથી. , વાસનાગ્રસ્ત બુદ્ધિ કે મન જે માગે તે આપતા રહેવું, તથા તેની વાસનાઓને સંતોષવી કે પછી જેમાં તે સુખ માને તેનું ચિંતન કર્યા કરવું એ અવિવેકી મનનો સ્વભાવ છે. અવિવેકી મને જેના માટે પોતે મોટું મૂલ્ય આક્યું હોય તથા જે વિષયો પ્રત્યે તેને રાગ હોય તે વિષયમાં જ ભ્રમણ કર્યા કરે છે. આવા અવિવેકી મન કે ચિત્ત ઉપર નિયંત્રણ કર્યા વિના તેની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા તેને જ ચિત્તનું લાલનપાલન કે આળપંપાળ કહેવામાં આવે છે. આમ થવાથી ચિત્તમાં વિષયવાસનાની વૃદ્ધિ થાય છે. તથા બુદ્ધિ શુદ્ધ બ્રહ્મમાં સ્થિત થતી નથી. તેવી અસ્થિર અને અવિવેકી બુદ્ધિ દ્વારા સમાધાનની પ્રાપ્તિ થતી નથી. માટે જ શંકરાચાર્યજી
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy