SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ NESMÖTEURS સુંદર ગુલાબની માળા પૂ. ચરિત્રનાયકશ્રીને પહેરાવી હાથમાં ગજરે છે. ઉપરાંત દશથી પંદર સેનામહોરે વચ્ચે હીરામોતી ટાંકેલ એક માળા ૫ ચરિત્રનાયકશ્રીને પહેરાવી. દરબારના અંતઃપુરનાં રાણજી વગેરેએ મહેલના ઝરૂખામાં પરદા પાછળ ઊભા રહી બગીને મરૂખ આગળ લાવી ઊભી રખાવી ઉપરથી લાલતીથી વધાવી પુષ્પાંજલિ વરસાવી. તમારી આધ્યાત્મિક યાત્રા સફળ થાઓ” ની મંગળકામના માટે ટાચકા ફેડી ઓવારણાં લીધા. જૈન-જૈનેતર જનતા આનાથી ખૂબ પ્રભાવિત બની રહી. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ આ બધાને પ્રશસ્ત શકુન માની શકુન-ગ્રંથિ વાળી જિનશાસનના ગગનમાં અદ્વિતીય તેજસ્વી સૂર્ય ઉગી રહ્વો હેવાની કલ્પનામાં વાઈ ગયા. પછી રથયાત્રા શહેરના બીજા લત્તાઓમાં ફરી શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે આવી ઉતરી. પૂ. ચરિત્રનાયકશ્રી “હવે સંસારથી બહાર નિકળ્યાને અભિનય જાહેરમાં કર્યા પછી કેઈના ઘરે ન જવાય” એમ પૂ. પિતાજીની સૂચનાથી મંગલ વાજિંત્ર અને સૌભાગ્યવતી બહેનના ધવલ-મંગલ ગીતગાન સાથે ઉપાશ્રયે પૂજ્યશ્રી પાસે હરખભેર આવ્યા. પૂજ્યશ્રીએ પણ ચરિત્રનાયકશ્રીને પ્રાસંગિક ટૂંકું સંબોધન કર્યું કે –“પુણ્યવાન ! સંસારમાંથી તમે દુનિયાની સાક્ષીએ નિકળીને અહીં આવ્યા.” “મહાભિનિષ્ક્રમણ તમારું દ્રવ્યથી સંસાર એટલે મેહના પગલામાંથી છુટવા રૂપે થયું.” હવે હકીકતમાં જિનશાસનની મર્યાદા પ્રમાણે તમારે સંસારથી ભાવથીખરેખર છૂટકારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે કાલે સવારે થશે.” - હવે તમારે અહીં જ રહેવાનું. રાત્રે સંથારે અહીં કરવાને ! હવે વાયણ કે લૌકિક રીત-રિવાજો બધા તમારા બંધ થઈ ગયા. પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે–“સાહેબ! મંજુર છે મને! આપ જે ફરમાવે તે મારે તત્તિ છે.” આ ર્દ ગામોમાં% ) ૨) ઈ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy