SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ સિત રીતે 2012 જેમાં સાસુ-વહુ હીરબાઈ અને પુંજીબાઈએ પણ ઉપધાન તપ કરી મિક્ષમાળ ધામધૂમથી પહેરી. સં. ૧૮૨૦માં ધર્મક ને અજેડ હા લેવામાં તત્પર બનેલ શેઠ શ્રી દેસાભાઈ એ પંન્યાસ મેહનવિજયજી મ. ને આગ્રહપૂર્વક તેડી શ્રી અજિતવીર્ય નાના વિહરમાન પ્રભુની પ્રતિષ્ઠા માહ સુ ૬ ના રોજ ધામધૂમથી કરાવી ચઢતે રંગે ગામેગ મ કંકોતરી લખી ધામધૂમથી શ્રી સિદ્ધાચળ મહાતીર્થને છ'રી પાળતે સંઘ પૂ. શ્રી મેહનવિજયજી મ.ની નિશ્રામાં મહા સુ ૧૦ ના મંગળ દિવસે ક ઢો. મહા વદ ૧૩ ના દાદાના દરબારમાં માળ પહેરી ધામધૂમથી ગિરિરાજની ભક્તિ કરી. પાછા વળી ઘરે આવી આખા સંધને જમાડવા સાથે ભવ્ય અછાલિકા મહોત્સવ કર્યો. આ ધર્મપ્રેમી ધર્મરસિયા વેરાશેઠ ડેસાભાઈ હેમચંદ સં. ૧૮૩રના પિષ વદ ૪ ના રોજ સમાધિપૂર્વક શ્રી નમસ્કાર મહામંત્ર ગણતાં ગણતાં મૃત્યુ પામ્યા. ખરેખર લીંબડી સંઘમાંને તેજસ્વી તારો અસ્ત પામે. આ શેઠશ્રીના નામથી શેઠશ્રીને ધાર્મિક કાર્યોની સાક્ષી ભ તે “શેઠ કેસા દેવચંદ જૈન ઉપાશ્રય” આજે પણ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસરની પાસે જોવા મળે છે. આ પુણ્યાત્માના કાળધર્મથી થવા જોઈતા શેકને તેઓશ્રીના ધાર્મિક-જીવનને સંભારી હળ કરી શેઠાણ શ્રી પુંજીબાઈ એ આ જ વર્ષને વૈશાખ મહિને પિતાના સસરાની ધાર્મિક જીવનયાત્રાની અનુમોદનાથે અને પિતાના પતિ જેઠાવારા આત્મશ્રેથે મેટો અઠ્ઠાઈ ઓચ્છવ કરી લીબડી શહેરને લગતી ૮૪ ગામોની ચોરાશીને એ મંત્રી અનેરી શાસન પ્રભાવના કરેલ. આ બધે ધાર્મિક પ્રસંગ પતવા ટાણે પૂ. પં. પદ્મવિજયજી મ ગણી ગુજરાત તરફથી વિહાર કરતા આ બાજુ પધાર્યા ખૂબ આગ્રહ કરી પુંજીબાઈ એ સકળ શ્રી સંઘના આગેવાનોને સાથે લઈ આગ્રહભરી વિનતિ કરી જેમાં માટે લઈ આવ્યાં. ખૂબ ઠાઠથી ચોમાસાને પ્રવેશ પુંજીબાઈએ કરાવ્યું અને ચોમાસામાં વંદનાર્થે આવના બધા સાધર્મિકેની ભક્તિને લાભ લેવાની વિનંતિ શ્રી સંઘ પાસે પુંજીબાઈએ કરી.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy