SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ KAŽUŽVEENRE રણછોડભાઈ તે રાજી થઈ ગયા. ઝટ ખિસ્સામાંથી બસો રૂપિયા કાઢી બે ગોળી લઈ લીધી. બાવાજીને અફીણની ડબ્બી ભેટમાં આપી દીધી. અને પિતે ગામડે ન જતાં ઘરે પાછા આવ્યા. રાત્રે પોતાની દિકરી પાસે જઈ “શીરામાં આ ગોળીનો ચેથે ભાગ નાંખી મહારાજને ખવડાવજે! તારું કામ થઈ જશે.” કહી કાનમાં બધી વાત કરી. બીજે દિ' સુદ આઠમ પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ કલ્યાણક એટલે ચરિત્રનાયકશ્રીએ આંબિલ કરેલ. આ વાતની ખબર સંસારી–પત્નીને થવાથી સુદ ૯ના પારણે સવારે પેલી ગળીમાંથી ત્રા ભાગ નાંખી ભક્તિભાવના દેખાવ સાથે પાતરું ભરી દીધું. ચરિત્રનાયકશ્રીને કંઈ ખબર ન પડી. વાપરીને ઊડ્યા પછી ચૈત્યવંદન કરી સ્વાધ્યાય કરવા બેઠા. પેટમાં આગ ઊઠી, મગજ ભમવા લાગ્યું. થોડીવારે આંખમાં ઊંઘ ઘેરાવા લાગી. સંથારે કરી સૂઈ ગયા તે ઠેઠ સાંજે ચાર વાગે મગનભાઈ ભગતે પરાણે ઉઠાડ્યા. . પૂછ્યું કે “કેમ શું છે? કયારે સૂઈ ગયેલા ? કેમ આ પ્રમાદ?” બધી વાત કરી આજે સવારે વાપર્યા પછી સ્વાધ્યાય કરતે હો ને શરીરમાં બેચેની આંખમાં ઊંધ વધુ થવાથી પરાણે સૂવું પડયું. મગનભાઈને પણ બીજી કોઈ કલ્પના નહીં, તેથી સ્વસ્થ થઈ પડિલેહણ આદિ કરવાનું કહી સ્વ-સ્થાને ગયા. સાંજે ફરીથી ગરમ-દૂધ માં ઘી નાખેલ અને અંદર પેલી ગોળી પા ભાગની નાંખી ખૂબ આગ્રહથી વહેરાવ્યું. પ્રતિક્રમણ પરાણે કરી સૂઈ ગયા. રાત્રે સ્વપ્નમાં જ જાળરૂપે ચારિત્ર–મેહનીયના ઉદયવાળા સંસારી સ્વપ્ન ખૂબ આવ્યાં. રાત્રે બે વાગે જાગ્યા મન મજબૂત કરી વિચારોની શુદ્ધિ કરવા શ્રી નવકાર ગણવા બેઠા પણ મન ન લાગે. સાથે સંસારી પત્નીના વિચારો આવવા લાગ્યા અને સંયમ–ચારિત્ર લીધા બદલ પશ્ચાત્તાપ થવા લાગે,
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy