________________
SEBÄUÖVZUZEELDE
suJtu,
Avli+lil.
પ્રકરણ ૪૦ મર્યાદા–પાલન ન કરવાનું
દુષ્પરિણામ ચરિત્રનાયકશ્રી કેટની દેવડીએ ચઢેલ ચકચારભર્યા કેસમાં જવલંત વિજય મેળવી શાસનદેવના જયજયકાર સાથે પોતાના મુકામે પાછા આવ્યા.
મગનભાઈ ભગતે ચરિત્રનાયકશ્રીને ખૂબ બિરદાવ્યા, પણ સંસારી-ઘરે રહેવાના બદલે ઉપાશ્રયે જઈ રહેવા બદલ ખૂબ સમજાવ્યા.
પણ ભાવિનિયોગે ચરિત્રનાયકશ્રી સંસારી-પત્નીને સમજાવી અનુકૂળ બનાવી લેવાના વિશ્વાસમાં મર્યાદાની દિવાલ ચૂકી જવા માંડ્યા.
મગનભાઈ ભગતને વિષમ ભાવીનાં એંધાણ લાગ્યાં. “આગ પાસે ઘીને ઘડો કયાં સુધી પીગળ્યા વિના રહી શકે?’
“તેમાં પણ એક પગથીયું ચૂકેલ કયાં ક્યાં જઈ ઊભો રહે? તે કહેવાય નહીં!”
“ઘરની જ ગોચરી, સંસારી-પત્નીના હાથની રઈ, શય્યાતર પિંડના દોષની અવગણના આદિથી મગનભાઈ ખૂબ જ અસ્વસ્થ બની રહ્યા.”
મગનભાઈ એ પોતાના નાના કાકા, ચરિત્રનાયકશ્રીના મામા અને ભાઈબંધ દ્વારા ઉપાશ્રયે રહેવાની વાત ખૂબ સમજાવવા છતાં પરિણામ કંઈ ન આવ્યું !
મગનભાઈ ભગત પોતાની સામાયિક-પ્રતિકમણની ઓરડીમાં પૂ શ્રી ગૌતમ સ્વામીજી અને પૂ. ઝવેરસાગરજી મ.ના ચિત્ર સમક્ષ રોધાર આંસુએ હૈયાને ઠાલવી રહ્યા કે-“કાલે ઉઠીને મારા કુળને કલંક લાગે તેવું ન બને તે સારું !”
અત્યારે તે સાધુતાના એકઠા ઢીલા થયા છે. તે અનાદિ કાળના મેહના સંસ્કારની થપાટમાં ચરિત્રનાયક ક્યાંક વિષયવાસનાની ખાઈમાં ગબડી ન પડે !” તે માટે નવમરણ ત્રિકાળ ગણવા લાગ્યા.
આ બાજુ દુન્યવી-દષ્ટિએ કોર્ટમાંથી પાછા પડેલા રણછોડભાઈ વસ્તુસ્થિતિ સમજવાના બદલે વધુ ઈ છેડાઈને ગમે તેમ કરી ચરિત્રનાયકને ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ કરવા કમર કસી તૈયાર થયા.