________________
જુના અનેક પુસ્તકમાંથી તેમજ ઇતિહાસ ગ્રંથોમાંથી વિવેકપૂર્વક તારવણી કરી ખૂબ જ ચેસાઈ સાથે સંકલિત કરેલા જીવન પ્રસંગોની વિષયાનુરૂપ ગોઠવણી દ્વારા આ જીવનગાથા તૈયાર કરી છે. - આમાં છદ્મસ્થતાવશ આલેખન દોષ કે હકીક્ત દોષ થયો હોય, અથવા પ્રભુશાસનની લોકોત્તર મર્યાદાનું પ્રમાદવશ ખંડન થવા માખ્યું હોય તો તે બદલ ખૂબજ નિખાલસ હૈયે સુધારવાની તત્પરતા સાથે સકલ શ્રી સંઘ સમક્ષ હર્દિક રીતે મિચ્છામિ દુક્કડું માગું છું.
વીરનિ. સં. ૨૫૦૦ • વિક્રમ સં. ૨૦૩૯ ધિ. ફ. સુદ ૧૧ શુક્ર • સાગરનો ઉપાશ્રય પાટણ : (ઉત્તર ગુજરાત)
શમણુસંધસેવક પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગર ગણિવર સેવક
મુનિ અભયસાગર
અમારા પુનિત કાર્યનાં પાયાનાં સ્તંભ જેવા ધર્મપ્રેમી સદૂગત શેઠશ્રી બાબુભાઈ કેશવલાલ શાહ (ચાણસ્માવાળા)નાં આકસ્મિક હાર્ટ ફેલથી અવસાન થવાથી અમારા કાર્યમાં ભારે ધકકો પહોંચ્યો છે. છતાં તેઓની ગુણાનુરાગીતા-મૂકકાર્ય પદ્ધતિ સહુદયાતા દાક્ષિણ્ય આદિ ગુણોથી અમારું હૈથું ખૂબ જ પ્રમોદભાવનાથી ઉલાસિત થાય છે તેથી અમે તેઓશ્રીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
તેઓએ તનમનથી શારિરીક શ્રમ ગણ્યા સિવાય પૂ. ઉષા શ્રી ધર્મસાગરજી મ. ના. શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગજી મ.શ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી ગજા ઉપરાંત દોડધામ કરીને પણ છાપકામ અંગેની સઘળી અથથી ઇતિ સુધીની જવાબદારી ઉઠાવી અપૂર્વ સ્મરણીય જે સેવા આપી છે તે બદલ આ પ્રસંગે હાર્દિકે ગુણાનુરાગપૂર્વક તેઓના ગુણોનું અભિવાદન કરીએ છીએ વધારામાં બાબુભાઈની ગેરહાજરીમાં ડોળાઈ ગએલ અમારા કાર્યને વેગવંતુ બનાવી પદ્ધતિસર કરવામાં જાતભેગ આપનાર શ્રી જગતચંદ્ર સારાભાઈ નવાબના અમે ખૂબ ઋણી છીએ કે જેઓએ ખૂબ જ જાતમહેનત અને ખંતથી પૂ. પંન્યાસજી મ.ની આજ્ઞા પ્રમાણે અમારા કામને સરળ બનાવ્યું છે.
લી. પ્રકાશક
GETELETE
RTE