SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શિe 15 08 2012 માળા ત્રિકાળ એકેક ગણવાના પ્રતાપે સુ. ૯ ના દિવસે મગનભાઈ ભગતના મઢે વેવાઈ તરફથી તૈયારી ઘણી છતાં અહીંના વકીલે જોરદાર દલીલે કરવાની ના પાડ્યાના સમાચાર સાંભળી સહુ પ્રસન્ન થયા. છતાં “ચેતતા નર સદા સુખી” “ઊંટ ન જાણે કયે પડખે બેસે!” એ કહેવાય નહીં ! કેર્ટના મામલામાં નિશ્ચિત ધોરણ ન હોય! સાક્ષીઓના નિવેદન અને વકીલોની શબ્દજાળમાં ન્યાય કયાંય ખવાઈ પણ જાય! આદિ સુભાષિતના આધારે નિવેદનને ફરી વાંચી તેને સુગ્ય રીતે ફરીથી જોરદાર રજૂઆતવાળું પૂ. ચરિત્રનાયકશ્રીએ બનાવ્યું. પૂ. શ્રી. સિદિવિજયજી મ. શ્રીએ શ્રાવકે દ્વારા અમદાવાદના કેઈ પ્રખ્યાત સારા વકીલને ઉપાશ્રયે બેલાવી સલાહ લેવાનું ગોઠવ્યું. તે વખતે અમદાવાદમાં સારી પ્રેકટિસ ધરાવનાર શ્રી પાંડે નામના વકીલને બે-ત્રણ વાર મળી ઉપાશ્રયે લાવવાની ગોઠવણ કરી. પૂ શ્રી. સિદ્ધિવિજયજી મ.શ્રીએ ટૂંકમાં બધી વિગત કહી. કપડવંજવાળ રણછોડભાઈએ કેર્ટમાં કેસ કર્યો છે. અને આટલી વાત ગઈ મુદતમાં થઈ છે, એ બધું જણાવ્યા પછી હવે એમ સાંભળ્યું છે કે રણછોડભાઈ પૈસા વેરી બેટા સાક્ષીઓ ઊભા કરી રહ્યા છે. તે હવે વકીલના સંબંધે તમને શું લાગે છે ? વકીલશ્રીએ બાળમુનિને બેલાવી કાયદાની રીતે આડા-અવળા ક્રોસ કરી માપી જોયા, પણ બાળ-મુનિએ ખૂબ જ મક્કમતા-ધીરતાથી બધા જવાબે સ્પષ્ટપણે આપ્યા. - જે સાંભળી ખૂબ જ પ્રભાવિત થયેલા વકીલ શ્રી પાંડેએ ડીવાર વિચાર કરી પિતાને અભિપ્રાય જણાવ્યું કે “કેસ આમ તે ગુંચવાડા ભર્યો છે! પણ મૂળ વ્યક્તિ આ બાળ-મુનિ ખૂબ જ મજબૂત છે. પોતાના વિચારમાં બહુ સ્પષ્ટ છે એટલે કેસનું પરિણામ બીજી દિશામાં જઈ શકે તેમ નથી. વળી તમારા કહેવા પ્રમાણે તેના માતા-પિતા જે અનુકૂળ હોય તે કાયદાની કઈ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy