________________
MOZDUVLAN
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીએ વાતને તાગ બરાબર નિર્ણયાત્મક રીતે મેળવી ચક્કસ માણસ સાથે સં. ૧૯૪૬ ના જેઠ સુદ ૩ના રોજ પુ ચરિત્રનાયકશ્રીને વિદ્યાશાળાએ બેલાવી લીધા.
જેઠ સુદ ચોથ સાંજે કપડવંજવાળા પણ મગનભાઈ ભગતની આગેવાની તળે આવી રહ્યા.
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ દીર્ધદર્શિતા વાપરી આવતી કાલે વ્યાખ્યાનમાં રસી વખતે સંઘ-સમક્ષ પૂ. ચરિત્રનાયકશ્રીને રજૂ કરવાની વાત જણાવી.
કપડવંજવાળ બધાએ તે વાત મંજૂર રાખી, સં. ૧૯૪૬ના જેઠ સુદ પને સવારે વ્યાખ્યાનમાં પારસી-મુહપતી વખતે ૧૦-૧૫ મિનિટે પૂ. ચરિત્રનાયકશ્રીને બે સાધુઓ દ્વારા એરડીમાંથી બોલાવી સકળ શ્રીસંઘ-સમક્ષ રજૂ કર્યા.
કપડવંજવાળાઓએ ભારે ઉલ્લાસપૂર્વક વંદના કરી. મગનભાઈ ભગતે હાર્દિકઅભિનંદનાપૂર્વક પૂ. ચરિત્રનાયકશ્રીને બધાના દેખતાં સંયમ–માર્ગે સ્થિરતાપૂર્વક આગળ વધવા ભલામણ કરી.
જમનાબહેને પણ મોહવશ આંખમાં ઉભરાયેલ અશ્રજળ સાથે પણ નાની વયે આટલી ધીરતા-મકકમતા દાખવી પ્રભુ શાસનના સંયમપંથે ટકી રહ્યાની વાતની ખૂબ-ખૂબ અનુમોદના કરી અને “મારી કૂખ જેવી-અજવાળી છે તે જ રીતે આપણે કુળને અને જૈન શાસનને અજવાળવાની વાત કરી એવારણુ લીધા.”
બીજા બધા સ્વજનેએ ખૂબ ખૂબ-ભક્તિભાવ ભર્યા વંદન કરી જીવનને ધન્ય પાવન બનાવ્યું.
ફક્ત રણછોડભાઈએ ઔપચારિક-રીતે વંદના કરવા છતાં બહૈયાના ભાવનું પ્રતિબિંબ હે પર પડયા વિના ન રહે.” એ લેકોક્તિ પ્રમાણે આંખના ખૂણાની-જરા વક્રતા તથા મોં પર ભારે છૂપાવવા છતાં વિષમ વૈરવૃત્તિની કઠોરતાના ભાવની અટપટી આટાપાટા ભરી રમતમાં ખેવાઈ રહ્યા.