________________
SHIZEMRE
હંકારવા સવારને સૂચના કરી અને સાંઢણી અંધારામાં પણ સ્વારેની સમયસૂચકતા જાણકારીને વફાદાર હાઈ સડસડાટ આગળ વધી.
આંતરસૂબા, અજમાવતકેટ, બહીયલ, રાયપુર થઈ સવારના ૪ વાગે નરોડા પહોંચી ગયા, ત્યાં થડે વિશ્રામ કરી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. મોં-ઝાંખણીયા અજવાળા ટાણે ઠેઠ અમદાવાદની ભાગોળે પહોંચી ગયા.
ત્યાં સાંઢણી–સવારને ઠરાવેલ ભાડાની રકમ કરતાં દોઢા પૈસા અને બક્ષીશ સારી આપી કોઈને વાત-જાણકારી ન કરવાની ભલામણ કરી સાંઢણીવાળાને છૂટો કર્યો.
શંકરભાઈ ૭ નવકાર અને ત્રણ ઉવસગ્ગહરપૂ. ચરિત્રનાયકશ્રી પાસે ગણાવી સીધા રસ્તે આવી પહોંચ્યા. નિધિન રીતે ધર્મકાર્ય પતે એ શુભ આશયથી શંકરભાઈએ ગમતીપુરમાં ભેંયરામાં બિરાજતા પ્રાચીન શ્રી શામળા પાર્શ્વનાથનાં દર્શન કરવા પૂ. ચરિત્રનાયકશ્રીને લઈને ગયા.
ત્યાં હરખભેર ગલી કાઢી રૂપિયે, શ્રીફળ ચઢાવી ૧ રૂપિયે ભંડારમાં નાંખી ભાવોલ્લાસ સાથે ચૈત્યવંદન કર્યું–પૂ. પ્રગટપ્રભાવી. દાદા શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ૭ નવકાર ૧૧ ઉવસગહર પૂ. ચરિત્રનાયકશ્રી પાસે ગણાવી શુભ શુકન લઈ ત્યાંથી નીકળી કાળુપુર દરવાજે આવી પહોંચ્યા.
ત્યાં ફરીથી ત્રણ નવકાર અને ૧ ઉવસગ્ગહર ગણાવી ઉપડતા શ્વાસે ત્રણ ડગલાં શ્રી નવકારના પ્રથમ પદના જાપ સાથે ઉપડાવી પૂ. ચરિત્રનાયકશ્રીને સાથે લઈ માંગલિક તરીકે દેવદર્શન-પ્રભુપૂજા-ગુરૂવંદન અને ગુરૂમુખે માંગલિક શ્રવણ કરવાના ઈરાદે સૌ પ્રથમ રીચરેડના શાંતરસભરપૂર શ્રી મહાવીર પ્રભુનાં દર્શન કરી હરખભેર ચૈત્યવંદન કરી સીધા વિદ્યાશાળાએ પૂર્વ-પરિચિત શ્રી નીતિવિજયજી મ. પાસે શંકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને લઈ ગયા.
પૂ. ગીતાર્થપ્રવર શ્રી નીતિવિજયજી મ. પૂ. ચરિત્રનાયકશ્રીને શકરભાઈ સાથે અચાનક આવેલ જોઈ પિંજરામાંથી છુટી નીલ-ગગનમાં મુક્ત વિહાર માટે જતા પંખીની કપના મુજબ ૫ ચરિત્રનાયકશ્રીના મુખના હાવભાવથી વાત પામી ગયા.
શંકરભાઈ એ ટૂંકમાં બધી વાત કરી, મગનભાઈને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપરને પત્ર બતાવી પૂ. ચરિત્રનાયકશ્રીને વરદ વાસક્ષેપની વાત રજુ કરી.
પૂ. શ્રી નીતિવિજયજી મ.એ કહ્યું કે-“હાલ તે નાસ્તા પાણીની વ્યાવહારિક વિધિ પતાવે. પ્રભુપૂજા કરી ૧૨-૨૩ મિનિટે વાસક્ષેપ માટે આવવા ખ્યાલ રાખશે.”
M) AB
K -