________________
SÄUDUJEMRE
કલ્પ કરવાની ભાવના રાખી સ્થિરતા કરી, વધુમાં પૂ ગચ્છાધિપતિશ્રીએ પણ કપડવંજ શ્રીસંઘના મહત્વના કામની સૂચને પત્ર દ્વારા આપી જણાય છે તે કામના ઉકેલ માટે પણ સ્થિરતા કરવી ઠીક લાગી.
તે પત્ર નીચે મુજબ છે.
“શ્રી અમદાવાદથી લિ. મુનિ મુળચંદજીની સુખશાતા વાંચજે, શ્રી કપડવંજ મુનિ ઝવેરસાગર
જત તમારો કાગળ ૧ મહા વદ ૧રનો લખ્યો આવ્યો તે વાંચ્યો છે, સમા- ચાર જાણ્યા ૪ ૪ ૪ રૂા. પ૦૦) ૪૪ ૪ જ્ઞાનમાં ૪ ૪ વાપરવામાં કઈ હરકત દીસતી નથી.
દેવવિજ્યજી સારું પ્રત ભણવાને જોઈએ તે મંગાવશો ગુણવિજ્યની વંદના વાંચજો તથા ચરિત્રવિજયની વંદના વાંચજે,
ભાવનગરને આવેલો કાગળ બીડે છે તેને ઉત્તર ભાવનગર x x x લખજે. શેઠજીએ ધર્મલાભ કહ્યો છે, તેણે વંદના લખાવી છે.
સં. ૧૯૪૧ ના માહ વદ ૧૩ વાર રવિ, કહેલું કામ સરળતાથી કેમ બને? તેમ રીતે સિદ્ધ કરવામાં ધ્યાન રાખજો++++પણ ધીમા રસ્તે પાડશે. એટલામાં જાણજો.”
આ પત્રના પાછલા ભાગે તા.ક. રૂપે જે લખાણ છે તેમાં જે કામનો નિર્દેશ છે, તે કોઈ મહત્વનું જણાય છે, જે માટે પૂ. ગચ્છાધિપતિશ્રીએ વ્યવસ્થિત ભલામણ કરી છે, આ અંગે પણ પૂજ્યશ્રીએ કપડવંજ વધુ સ્થિરતા કરી હોય એમ લાગે છે.
માહ વદ ચૌદશના વ્યાખ્યાનમાં બાલાસીને રવાળા શેઠ ઉત્તમચંદ જગજીવન આદિ આગેવાનેએ ક્ષેત્ર-સ્પર્શન કરવા વિનંતિ કરી, એટલે પૂજયશ્રીએ કપડવંજમાં સ્થિરતા માસ-કલપની થઈ ગઈ. એટલે ક્ષેત્રાંતર કરવા જવા ભાવના દર્શાવી, પણ કપડવંજ શ્રીસંઘે ફાગણ-ચામાસી નજીક હોઈ તેની આરાધના કરાવવા ખૂબ વિનંતી કરી, મગનભાઈ-ભગતની ગૂંચ પણ પણ હજી પૂરી ઉકેલાઈ ન હતી, એટલે બાલાસિનોરવાળાને ફાગણ-ચૌદશ પછી આવવાની ભાવના દર્શાવી કપડવંજમાં ફાગણ-ચોમાસા અંગે સ્થિરતા કરી.
આ દરમ્યાન શ્રીસંઘની મહત્વના વહીવટીતંત્ર અંગેની ગૂંચ ઉકેલાઈ મગનભાઈ ભગતને પણ સંયમ અંગેની ભાવનાના પંથે વધુ પ્રકાશ સાંપડે.
આગ ભોગ « થઈ