________________
/ શ્રી ગૌતમસ્વામિને નમઃ |
પ્રકાશકીય નિવેદન
મહામંગલકારી શ્રી જિનશાસનના અદ્રિતીય-પ્રભાવક, શાસનમાન્ય આઠ પ્રભાવકો પૈકી–પ્રાચીનકપ્રભાવક–શિરોમણિ, આગમના વારસાને પ્રોજજીવિત કરનાર અને કાળ–બળથી નાશ પામી રહેલ કે સંપ્રદાયના માહથી આગમોના મળપાઠો સાથે અળવીતરાં કરનારાઓના હાથે વેરવિખેર થઇ રહેલ આગમને નાશ પામતા અટકાવવા આરસની સુંદર શિલાઓ ઉપર કોતરાવી ચિરસ્થાઇ બનાવનાર અને રાજકીય વિપ્લવ કે કુદરતી આસમાનીસુલતાનીમાં હેરફેર કરી શકાય તેવા તામ્રપત્રો પર કોતરાવી આગમોના વારસાને સુરક્ષિત કરનાર ૫. પૂ. આગમોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. દેવશ્રી આનંદ સાગર સુરીશ્વરશ્રીના અદભુત વ્યકિતત્વની ગરિમાને સમદ્ધ પરિચય પ્રાપ્ત કરવા ખુબજ ઉપયોગી આગમ જ્યોતિર્ધર' ગ્રંથના બીજા વિભાગનું પકાશન કરતાં અમો ખૂબ ગૌરવભર્યો હર્ષ વ્યક્ત કરીએ છીએ.
સાગર-સમુદાયને શિરતાજ, વાત્સલ્યસિંધુ, શાદંપર્ય બેધક, ગચ્છાધિપતિ આ. શ્રી માણિક્યસાગર સુરીશ્વર ભગવંતના વિ. સં. ૨૦૨૨ના અમારે ત્યાંના ચોમાસામાં પૂ. આગમોદ્ધારકશ્રીના જન્મ-દિવસે (અષાઢ વદ અમાસ) વિચારણા થયેલ કે–
અત્યાર સુધીમાં પ્રગટ થયેલ પૂ. આગદ્દારકશ્રીને ૨૫-૩૦ જીવનચરિત્રોમાં પૂઆગમાદારકશ્રી જેવા રત્નની ઉત્પત્તિ કયાં? કેવી રીતે? કયા સંજોગોમાં થઈ ? વગેરે બાબતે અંધારામાં જ છે.
માત્ર પાંચ-દશ લીટી કે બે-ચાર પાનાં-“ કપડવંજમાં મગનભાઈને ત્યાં જમનાબેનની કુક્ષિએ પૂ. શ્રીને જન્મ થયે” આટલી જ માત્ર વિગત મળે છે.
પણ પૂ. આગમ દ્વારકશ્રીની જન્મભૂમિ કેવી ઉદાત્ત? માતા-પિતા કેવા ધર્મિષ્ઠ? કેવા સંજોગોમાં પૂ. શ્રીનું ધાર્મિક-ઘડતર થયું ? વગેરે બાબતો અંગે વ્યવસ્થિત માહિતિ મળતી નથી.