________________
MA TABELUM
-
-
-
(૩) જાન-મંદિરની સ્થાપના, જ્યારે કે ઈપણ વસ્તુ યા આ દર્શ આગળ આવે છે, ત્યારે તેને કંઈપણ આલંબન જરૂર હોય છે. આ સમય હતો સંવત ૧૯૯૯ યા સને ૧૯૪૩, જ્યારે સ્વ. ભાઈ ચીમનભાઈ ડાહ્યાભાઈએ શ્રી પૂજ્યપાદું આગમ દ્વારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની નિશ્રામાં, પરમારાહ્મસ્વરૂપ નવપદજીની આરા પના નિમિત્ત મૈત્ર–માસની આંબેલની ઓળી કપડવંજ મુકામે રૂપીયા ૬૦ થી ૭૦ હજાર' ખર્ચે કરાવી; તે સમયે ઘણુ મુનિવર તેમજ સાધ્વીજીઓ, તેમાં ખાસ કરીને આપણ-જ્ઞાતિના તમામ દીક્ષિતે, જેની સંખ્યા ૭૦-૮૦ના અંદાજે થવા જાય, તે બધાની હાજરી કપડવંજમાં હતી.
સ્વ. ભાઈ ચીમનલાલે આ બધાને આ જગાએ એકત્રિત કરવામાં, અથાગ શ્રમ લઈને ગામે-ગામ આમંત્રણ મોકલેલાં. સ્વભાવિક છે કે ગામના અને જ્ઞાતિના દીક્ષિતો સાથે સંપર્ક સાધવામાં દરેક જ્ઞાતિ-જણને સુલ તા હોય, તેવી રીતે આપણી-જ્ઞાતિના શ્રી વાડીલાલ મનસુખરામને આ પ્રસંગે દીક્ષિાનો સંપર્ક સાધવાને મોકો મળે.
આ પ્રસંગે સાધુ-મુનિરાજ પાસેના પુસ્તકોના સંગ્રહને જ તેમના જોવામાં આવ્યા. વાતચીત પરથી તેમને એમ લાગે છે કે સાધુ-મુનિરાજોને પુરતો સાચવવાનાં અમુક ચોકકરા ઠેકાણુ સિવાય, તેમજ તેમની સગવડો સાચવી શકાય તેવી નિયમિત વ્યવસ્થાવાળી સંસ્થાના અભાવે, સાધુ-મુનિરાજોને પોતાને પુસ્તક-સંગ્રહ ઘણે ભાગે, તેમના નિત્યને કાર્યક્રમમાં ઓછા-વત્તા અંશે આડે આવતે હતો.
આ દૂર કરવા માટે કંઈપ કરવું જોઈએ તેમ તેમને લાગેલું આ વિચારે તેમનામાં ઘર કીધું, અને અવસર આવે તે એ તે વિચારથી ઉદ્ભવેલી વિચાર-શ્રેણિના આધારે, પાન મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો, અ રૂપીયા ૬૦ હજારની રકમનું ટ્રસ્ટ બનાવ્યું.
આ રકમ સને ૧૯૪૫ માં કાવા છતાં તેઓ તાત્કાલિક તે રકમ ઉપગ કરી શકયા નહિ; કારણ કે તે માટે જોઈતી જમીન નહિ હોવાથી, તેમજ આ નાની શી રકમમાંથી જમીન વેચાતી લેવાનું બની શકે તેમ ન વાથી, તેમજ ટ્રસ્ટની અંદર રૂા. ૬૦ હજારની રકમમાંથી જમીન અને મકાન શકય ન હોવાથી આ વિચાર અમલમાં આવતાં ઘણે વખત લાગે.
હર હંમેશ આ જમીનની બાબત તેમના મન ઉપર રહેતી હતી, જે આર–આસ્તે નિશ્ચિત-રૂપને પકડતી ગઈ. ઘણી જ પાઓ મળતી હતી, પણ તેમા એ નિર્ણય હતો કે આ જ્ઞાનમંદિર સર્વ જેનેને (જૈન સંને) એક સરખું ઉપયોગી થાય, તથા કોઈ પણ જાતના વાડાના બંધનમાંથી મુક્ત રહે તેવી, તે સંબંધી હંમેશાં સાવચેત રહેતા. જે વસ્તુ જ્યારે નિમિત્ત હોય ત્યારેજ બને છે, તેવી રીતે આમાં પણ બન્યું.
*