________________
99999999999999999999999999999999
| | વિનવતાં નિરાતનમ્ II. | નમોનમઃ ગામોદ્ધાર-ચાનWતાવાવ
श्रीआनंदसागर-सूरीश्वरेभ्यः ॥
900
આ....સુ...ખ....
GOOOOOOOOOoooooOOOGOGGOOOGO6GOGGOOOOGOOOOO
દેવ-ગુરૂકૃપાએ વશમી સદીના મહાન તિર્ધર, આગમતત્ત્વવિવેચક, શ્રીદેવસૂરતપગચ્છ સામાચારી સંરક્ષક, શ્રી આગમમંદિર, સંસ્થાપક બહુકૃતશિરોમણિ, પૂજ્યપાદ ધ્યાનસ્થ સ્વર્ગત આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના ગંગાસાગરની જેમ અફાટ-અમાપ વિશિષ્ઠ
જીવન-પ્રસંગોથી સભર-જીવનકથાના વિશાળ પ્રવાહને નાથી સર્વગ્ય પ્રાસાદિક શૈલીમાં છે સળંગ જીવનકથાના આલેખનની વાત મૂળીનરેશપ્રતિબંધક, કરૂણાવારિધિ, વાત્સલ્યસિંધુ 0 સ્વ. શ્રી ગચ્છાધિપતિશ્રીના વિ. સં. ૨૦૨૧ના કપડવંજના ચોમાસામાં અષાડ વદ ૦))ના આ પૂ. આગામોદ્ધારકશ્રીના મંગળ-જન્મદિને વિચારાઈ.
પૂ. સ્વ.ગચ્છાધિપતિશ્રીએ અમો ત્રણને આ કાર્ય માટે જવાબદારી લેવા સૂચના કરી.
પૂ. ગચ્છાધિપતિશ્રીની સ્વ-મુખની સૂચનાને અમારા શ્રેયનું કારણ સમજી ભક્તિ-ભાવપૂર્વક અમોએ વધાવી. - વિષમ-કળિકાળમાં સંજીવની-ઔષધસમા આગમોના વારસાની ઓળખાણ કરાવનાર આ પૂ. આગમ દ્વારકશ્રી પ્રતિ ભક્તિ-રાગના બળે બનતા પ્રયત્ન ચોકસાઈપૂર્વક યથાપલબ્ધ
સામગ્રીના આધારે ટાંચાં સાઘને છતાં વ્યવસ્થિત રીતે જીવનચરિત્ર સુજ્ઞ વાચક સમક્ષ રજુ કર્યાનો આત્મ-સંતોષ અનુભવીએ છીએ.
સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા અને પૂ. આગમ દ્વારકશ્રીની અદૃશ્ય-સહાયના પ્રતાપે મહાભગીરથ આ કાર્યમાં કંઈક સફળતાને સંતોષ મેળવી શક્યા છીએ.
આ કાર્યમાં જ્ઞાત-અજ્ઞાત ઘણું મહાનુભાવો-વ્યક્તિઓના ધર્મપ્રેમ-ભર્યા સહકાર બદલ સહુના ધર્મપ્રેમની અનુમોદના સાથે આ જીવનચરિત્રના આલેખનમાં હકીકત-દેષ કે કઈ ઘટનાની વિકૃત રજૂઆત બદલ હાર્દિક-ક્ષમા માંગવા સાથે વર્તમાનકાળના અદ્વિતીય આગમધર મહાપુરૂષના ઉદાત્ત-જીવનચરિત્રને વાંચી-વિચારી વિવેકી વાચકો ઉદાત્ત પ્રેરણા મેળવી જીવનને ઉચ્ચ-આધ્યાત્મિક્તાના સ્તરે લઈ જવા સતત પ્રયત્નશીલ બને એ મંગળ-અભિલાષા.
GGGGGGG.ooooooooooooooooooooOGGGGGGGGGGGGGG
વીર નિ. રાં. ૨૫૦૩ વિક્રમ સં. ૨૦૩૩ મહા વદ ૦)) શુક્રવાર
શ્રમણસંધ સેવકો:પં. કંચનસાગર પં. સૂર્યોદયસાગર ૫. અભયસાગર