________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
શ્રી ગૌતમ સ્વામિને નમઃ
કે સંપાદકીય...........
અનંત-ઉપકારી શ્રી તીર્થંકર-પરમાત્માના શાસનમાં સંયમક્રિયાના પાલન સાથે જ્ઞાનની ગરિમાને પચાવી જાણનાર મહાપુરુષે અનેક આરાધક-પુણ્યાત્માઓના પથદર્શક બને છે.
કાલચક્રના પરિવર્તનની અસર–તળે આરાધના માટેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અસર વિવિધ રીતે ચઢાણ-ઉતરાણવાળી બની રહેતી હોય છે.
તેમાં ઉતરાણ-વાળા કાળમાં શ્રીવીતરાગ-પરમાત્માએ નિદેશેલ સહિતકર શ્રતધર્મ અને ચારિત્રધર્મની છાયા ઝાંખી થવા લાગી હોય તે વખતે દેખીતા બાહ્ય-નિમિત્તાને યોગ્ય-સહકાર ન હોવા છતાં પૂર્વજન્મની આરાધના બળે સ્વતઃ ઉપજેલ વીલાસભર્યા સુયેગ્ય-પુરુષાર્થથી જગતને રાગ-દ્વેષના વમળોમાંથી અને કર્મના બંધનમાંથી છોડાવનાર મહાપુરુષ હકીકતમાં અત્યંત આદરપાત્ર અને પ્રાતઃસ્મરણીય બને છે.
આવા અદ્વિતીય અનન્ય-સાધારણ પ્રતિભાવંતા ગમખાણ મહાપુરુષના ભાગીરથી–ગંગાના પ્રવાહની જેમ અત્યંત નિર્મળ જીવન-પ્રવાહમાંથી શકિત-ભકિતના ધોરણે સ્વ-પરને હિતકારી એ મહાપુરુષના જીવનનો નિર્મળ પરિચય મળે તે શુભ આશયથી આ જીવન-ચરિત્રનું આલેખન કરવાનું સૌભાગ્ય આ પંક્તિઓના લેખકને પૂર્વના મહાન પુણ્યના યોગે સ્વ. પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા-આશિષના બળે મળ્યું છે કે જે જીવનને ધન્ય-ભાગ્ય બનાવનાર અનેખાગૌરવરૂપ છે.
વધુમાં પૂર્ણપણે શાસનને વફાદાર બની ચૂકેલા આ મહાપુરુષની જીવન-કથાના સંપાદન કરવાના સૌભાગ્યને મેળવવા પાછળ ટુંકે રસિક ઈતિહાસ છે, તે એ કે