SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૦] સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ ૪ અક ૨૪ વ્યાખ્યાન એટલે શું ? વ્યાખ્યાન કોણ કરે ? જૈન જગતમાં વ્યાખ્યાન જેને અપભ્રંશમાં વખાણ કહેવાય છે તે શબ્દ ઘણા જ પ્રસિદ્ધ છે, એ તે જણાવવાની જરૂર જ નથી કે જૈનજનતા ત્યારેજ વ્યાખ્યાન રશદ વાપરે છે કે-જ્યારે કથન કરનાર ભગવાનની આજ્ઞાને મહત્વ આપનાર અને તે મુજબ વવાવાળા હોય અને કરાતુ કથન શ્રી જૈનશાસ્ત્રોનું હોય, પણ જો આવી રીતનું કથન ન હેાય તેા બીજાના કહેલા કે બીજા રૂપથી કરેલા કથનને તે ભાષણ કે લેકચર શબ્દથી ઓળખે છે. અને આળખાવે છે. જૈનજનતાની આ રૂઢિને જેએ યશા રીતે સમજતા નથી કે સમજે તે પણ પોતાનુ રૂઢિ ઉત્થાપકપણાનું ઉપાડી લીધેલુ બિરૂદ સફલ કરવા મથે છે તેઓ ભાષણને વ્યાખ્યાન તરીકે જાહેર કરે છે. આમ કરવાની મતલબ વ્યાખ્યાનની રૂઢિથી પરિચિત થયેલા અને તેના સામાન્યપણે અથી થયેલા જીવાને ભરમાવવાની છે, પણ તે રૂઢિઉત્થાપકોએ સમજવાની જરૂર છે કે ભગવાન્ જિનેશ્વરોએ છાંડવા લાયક કહેલ હિંસાદિ જે આશ્રવેા તેને છેડનાર તથા સમ્યગદનાદિ જે આદરવા લાયક ગણ્યા છે તેને આદરનાર હૈાવા સાથે ભગવાન્ જિનેશ્વરેના આગમની મર્યાદાએ સમ્યગદનાદિ અને દાનાદિરૂપ ધર્માંતે નિરૂપણ કરવાનું નામ વિ + આ + ખ્યન એટલે વ્યાખ્યાન છે અને તેથી જ શાસ્રકાર ભગવાના શ્રી જિનેશ્વર મહારાજાએ નરૂપણ કરેલા ધર્મોની પણુ વ્યાખ્યા કરનારનું સ્વરૂપ જણાવતાં અપવાદ ઉત્સર્ગાદિ પદાર્થાને જણાવનાર શ્રી આચારપ્રકલ્પના ભણેલા અને દીક્ષિત થયાં જેને ત્રણ વર્ષ એછામાં એ છાં થયા હોય તેએ જ વ્યાખ્યાન કરનારા હાય એમ જણાવે છે. આ ઉપરથી એ શ્રમણ નિ ત્થા પાસે આખા વ'માં કરેલી શ્રી સઘની પ્રતિકૂલતાને લીધે જતાં શરમાય અને જે વકતાઓન નહિં કોઈ ધર્મ કે નિયમ, નહિં કેાઈ તપચ્ચકખાણુ, નહિં કેઇ જૈનશાસ્રના યથા અભ્યાસ, એવા અતિહિંની જેવી તેવી વ્યકિતઓને ભેળી કરી ધ་વિરાધી બખાળા જ કહુાડવાના ધધા કરનારા હોય તેવાઓને ભેળા કરી બ્યાખ્યાનથી પન્નુસણ ઉજવવા માગે તેઓએ વ્યાખ્યાન અને પન્નુસણુ એ બન્ને રૂઢિ છે અને તે સારી છે એમ કબુલ કરવું અને પેાતે જે તેનુ અનુકરણ કરે છે તેમાં ડુબવાને જ ધંધે કરે છે એમ સમજી ભગવાન્ જિનેશ્વર મહારાજના માર્ગોંમાં આવવા તૈયાર થવું હિતાવહ છે. તા.ક. :— પશુસણ નામે વ્યાખ્યાન ગેાઢવવાળા રૂઢિ ઉત્થાપકાએ આટલા વર્ષોના વ્યાખ્યાનેથી દાન શીલ તપ અને ભાવમાંથી કયા ધમ વધાર્યા ? અથવા સમ્યગદશનાદિ કે શ્રી તીર્થાદ્વારાદિ કર્યાં કયાં કર્યાં ? અન્તે પાતાના અભિપ્રાયે વ્યાવહારિક કેળવણી માટે એક જનરલ ક્રૂડ, બેકારીને નાશ કરવાની રચના અથવા માલાદિલગ્ન અને નાટક આદિને નિષેધ જેવું ક'ઈપણ કયું છે ? હજીપણ એ રસ્તા આખા વર્ષ અને પજીસણુ માટે પણ લેવાય તે સારૂ છે. ૮૮૨॥
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy