________________
द्वादश परिच्छेद.
===
U
MIHIRI+H+
ન
નુષ્ય શરીરને નિભાવવાના મુખ્ય સાધનરૂપ આહારની શુદ્ધતા સામ્યતા, ક્રમઘટના અને પૂર્ણતા તથા પરિમિતતા વગેરે જેમ આહાર કરતી વખતે જાળવી રાખવાની જરૂર છે પણ અન્ય
પ્રસંગે આવશ્યક્તાવાળાં વ્યવહાર કૃત્ય કરતીવેળા પણ તેને વળગી રહેવાની જરૂર નથી તેમ શરીરસંરક્ષણ જે આવશ્યક વિષય પણ જીવન વ્યવહારની નિર્વિઘતાને માટે જે કે ધ્યાન આપી જાળવવાને છે પણ તેને એટલું બધું વળગી રહેવું જરૂરનું નથી કે જેથી આત્મસુખનાં અન્ય સર્વ દ્વારે બંધ થઈ જાય અને “બકરું કહાડતાં ઉંટ પેસી જાય.” શરીરસંરક્ષણ કરતાં શરીરમાં અને તે પછી તેથી આગળ વધી શરીરસાથે સંબંધ ધરાવનારી અન્વવસ્તુઓમાં એવી મમતા કે એવી આસક્તિ ન બંધાઈ જવી જોઈએ કે જેને લીધે અંત:કરણમાંથી દેવી સંપત્તિને દી ઠરી જઈ ત્યાં આસુરી સં. પત્તિની અંધાધુની જામી જાય અને તેમાં આંધળે બની ભમતે અને ગોથાં ખાતે આત્મા મોક્ષસુખ ગુમાવી–સ્વર્ગસુખથી રઝળી પડી નરકદુઃખ ભેગવવાને લાયક થઈ જાય એ સમજાવવાને આ પરિચછેદની આવશ્યક્તા માની છે અને તેમાં પણ આરંભમાં, સઘળી અધમ આસક્તિઓ અને અસત્મવૃત્તિએનું મૂળ મેહ છે અને તેજ આ સંસાર સમુદ્રમાં ડૂબાવનાર છે, તેજ વિષમાં અમૃતભાન કરાવનાર છે અને તેજ મૃગતૃષ્ણકામાં મહાસરેવર મનાવનાર છે. તેથી મેહનું સ્વરૂપ અને તેને પ્રભાવ દેખાડવાને તેના અધિકારની આવશ્યક્તા માની છે.