SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છદ. વિદ્યાપ્રશંસાધિકાર. તેથી મહાદેવીની સ્તુતિ કરી જીભ તથા મન પવિત્ર કરવું, એમ ઉચિત ધારી આવતો અંધકાર જગમાતા સરસ્વતી (વિદ્યા)નો રાખી મંગલાચરણની સમાપ્તિ કરી છે. विद्याप्रशंसा अधिकार. विद्या राजसु पूजिता न तु धनं विद्याविहीन पशुः । ( રાજાઓ પણ વિદ્યા (વિદ્વાન) નું પૂજન કરે છે પણ ધનનું પૂજન કરતા નથી તેથી વિદ્યા રહિત મનુષ્ય પશુ ગણાય છે.) ઘા બે પ્રકારની છે એક પરજ્ઞાનવિદ્યા અને બીજી અપરા-વ્ય વહારિક વિદ્યા કહેવાય છે. પ્રથમની વિદ્યા મેળવવાથી મનુષ્ય આ ફાની દુનીઆની જંજાળ છેડીને મનમાં શાંતિ મેળવીને મોક્ષ જેવા દુર્લભ સ્થાનને પ્રાપ્ત કરે છે એ પરાવિદ્યાનું બળ સમજવું. તે સમજાવવા શરૂઆતમાં આઠ લેકે ગોઠવ્યા છે. બીજી વિદ્યાને વ્યાવહારિક વિદ્યા કહે છે તે વિદ્યા વિના પણ મનુષ્ય પશુની પક્તિમાં ગણાય છે. કારણ કે વિદ્યા વિના વિદેશની મુસાફરી કરવામાં ઘણાં વિનો આવે છે. હિસાબ કિતાબ નહીં જાણવાથી પ્રસંગે પ્રસંગે મુશ્કેલી ઉભી થાય છે. વાંચતાં લખતાં નહી જાણવાથી પિતાનો કિંમતી વાતે બીજાને કહેવી પડે છે. વિદ્વાનોના કે ધર્મશાસ્ત્રોના ગ્રંથ વાંચી શકાતા નથી, તથા પિતાના ફરજનને કેળવવામાં પોતાની બુદ્ધિ કામ કરી શકતી નથી. માટે બેઉ પ્રકારની વિદ્યા મેળવવા આ અધિકારમાં ભલામણ રૂપે વિદ્યાની પ્રશંસા કરવામાં આવી છે એ અસ્થાને ગણાશે નહિ. તત્વબુદ્ધિ અવિદ્યા કઈ ' અનgg ૨ થી ૨૩ . नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु । अविद्या तत्वधीविद्या योगाचार्यः प्रकीर्तिता ॥१॥ અનિત્ય, અશુદ્ધ અને અનાત્મને વિષે નિત્ય, શુદ્ધ અને આત્મતા બુદ્ધિ તે અવિદ્યા છે. તત્ત્વને વિષે જે બુદ્ધિ, તેને યેગાચાર્યોએ વિદ્યા કહી છે. વિવેચન–અનિત્ય એટલે નાશવંત, આત્માથી ભિન્ન સર્વ કાળ નહીં
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy