SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૩ જશે. ===============♥કર ૨૦ જ્ઞાન માત્રને અભિમાનવનાજ આચારમાં આણુવું એ ઉન્નત જીવનના માર્ગ છે. આ પ્રમાણે ઉત્તરાત્તર અધિક જ્ઞાન અને અધિક કર્તવ્યતા સમજાતાં મેાક્ષ પર્યન્ત પહોંચાય છે. આગળ જણાવ્યા પ્રમાણે આત્મભાવથી વિદૂર તે ખધું અનીતિ અસત્ય, અપ્રમાણિક છે, હવે આત્મહિતાર્થે ધર્મસાધન કરવામાં શ્રદ્ધાની બહુ બહુ જરૂર છે. ધર્મ યા ધર્મજ્ઞાન એ વિષયજ શ્રદ્ધાના છે. શાસ્ત્રનાં અને ગુરુનાં વચના ઉપર સત્યબુદ્ધિ રાખી તેમનું અવધારણ કરવું તેને સત્પુરુષા શ્રદ્ધા કહે છે, એનાથી વસ્તુની ઉપલબ્ધિ થાય છે અર્થાત વસ્તુ પ્રાપ્ત થાય છે. વસ્તુ પ્રાપ્ત થવામાં કાંઈક વિવેક રાખવા જોઇએ. આંખા મીંચી બુદ્ધિ શૂન્ય કરી નાખીને કાંઇપણ જોયા સાંભળ્યા કે વિચાર્યા વિના જે એક વાત પકડાઈ તેને વળગી રહેવું એવી શ્રદ્ધાથી વસ્તુપ્રાપ્તિ થતી નથી. એવી શ્રદ્ધાથી તા દુરાગ્રહ, હઠ, ધર્મને નામે વહેમ તથા કુટેવાનીજ વૃદ્ધિ થાય છે, એવી કુટેવાનું ખીજ હૃદયના કાચ અને મનનું સાંકડાપણું છે, એટલે તેને અ ંધશ્રદ્ધા કહેવામાંજ આવે છે. આથી તેા હૃદયના વિસ્તારને સ્થાને હ્રદયને સંકાચ સિદ્ધ થાય છે. જે શ્રદ્ધાથી વસ્તુની ઉપલબ્ધિ થાય છે તેના એ બે પ્રકાર છે; જડશ્રદ્ધા અને વિચારયુક્તશ્રદ્ધા. જડશ્રદ્ધા એવી છે કે વ્યાખ્યાન શ્રવણ કરવું કે કાઈ ક્રિયા કરવાની છે, જેમાં આપણુને ખીલકુલ સમજણ પડતી નથી, પશુ તેના પાકા જાણનાર છે તેના કહ્યા મુજબ ચાલવાથી કલ્યાણ થાય તેમ છે, તો તે મુજબ ચાલવું આનું નામ જડેશ્રદ્ધા છે. પણ આમ જડશ્રદ્ધા કરતે કરતે કાલાંતરે વિચાર કરવાની બુદ્ધિ ખીલે છે અને એમ જાણવા માંડે છે, કે અમુક શ્રદ્ધાનું કારણ અમુક છે. આમ જાણ્યા પછી મેધ અથવા ક્રિયા ઉપર જે દઢતા થાય છે તે વિચારયુક્ત શ્રદ્ધા જાણવી. બીજા પ્રકારની શ્રદ્ધા ઉત્તમ અને શ્રેયસ્કર છે–પ્રથમ પ્રકારની શ્રદ્ધા તેને પેદા કરાવવાવાળી છે. નાના બાળકો જેટલા પાઠા શીખે છે તેટલા શ્રદ્ધાથી જ શીખે છે. જે સમયે તેમને વિશેષ વિચાર કરવાની બુદ્ધિ હેાતી નથી, તે વખતે ફક્ત શ્રદ્ધા તેમને જ્ઞાન આપવામાં મદદ કરે છે. જ્યાંસુધી જે વિષયનું પાકું જ્ઞાન આવ્યું નથી ત્યાં સુધી તે વિષયમાં ગમે તેટલી અવસ્થા થાય છતાં સર્વે ખાળકજ છે, પણ આ સંસારમાં શુરુ કરવાની અને તેની પાસે ઉપદેશ લઈ કેવળ જડશ્રદ્ધાથી આચાર કરવાની જરૂર આટલાજ સારૂ છે. આવી રીતની શ્રદ્ધામાંથી વિચારયુક્ત શ્રદ્ધા થાય છે, એમ પુન: કહેવાની જરૂર રહેતી નથી. આચાર અને વિચારની એકતા એજ અપરેાક્ષ છે. મન, વચન, અને કાયાનું એક્ય એજ મહાત્માનું માહાત્મ્ય છે. એ શાથી આવે છે? વિચાર અથવા નિશ્ચયઉપર જે અતુલશ્રદ્ધા
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy