________________
૧૪૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
નુકશાન થવાનું જતમે તો નીચી પાયરીએ ઉતરી જવાનાજ, માટે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તમારી શક્તિને અન્યને હલકા પાડવામાં બે વ્યય ન કરશે, પણ તમારા કાર્યમાંજ મા રહેશે, તે અવશ્ય ફત્તેહ મળશેજ.
- જે તમને એમ ખાત્રીથી લાગતું હોય કે તમારા વિચારે ઉત્તમ છે, અને ન્યને અનુકરણ કરવાલાયક છે, અન્ય તે ગ્રહણ કરશે તે તેમને બહુ ફાયદો થશે, તે તમારા વિચારોની ઉત્તમતા દર્શાવવા અન્યના વિચારોની કદીપણુ મને શ્કરી અગર ટીકા કરશો નહિ. અન્યની માન્યતા-વિચારશ્રેણે બેટી છે, તેવું સાબીત કરવામાં નકામે વખત ગુમાવશેજ નહિ. તમારી માન્યતા તમારા વિચારે ખરા છે, અનુકરણીય છે તે બાબત દર્શાવવામાં તમારે વખત પસાર કરે; અન્યના વિચારો ભલે તેની પાસે જ રહે. તમારે તેની સાથે કશો સંબંધ નથી. તમારે તે વિચારો બેટા છે તે દર્શાવવાની પણ જરૂર નથી. જેમાં સત્યતા હશે તે સ્વત:જ તરત તરી આવશે; પણ અન્યને વિચારો હલકા છે; ઉતરતી પંક્તિના છે, તેની માન્યતા ખોટી છે એમ દર્શાવવું તે ઉત્તમતાની નિશાની નથી. અથવા તમારા વિચારો પણ હલકાજ છે તેમ તમારી નિંદાટીકા કરવાની ટેવજ સાબીત કરે છે. સત્યને અસત્ય સાથે કદી લડાઈ કરવી પડતી જ નથી. સત્યને હમેશાં જયજ થાય છે. સત્ય વિચારે, સત્ય વસ્તુ સ્વતજ તરી આવે છે, અને કેઈ પણ મનુષ્ય અસત્યને સ્વીકાર કરશે જ નહિ. તેથીજ તમારી સત્ય બાબત સાબીત કરવા પ્રયત્ન આદરે. તેમાં વખત પસાર કરે, પણ અન્યની નિંદા-કુથલીની ટેવ છેડી દેજે. તેમ નિંદા કરવાથી અન્યની માન્યતા જૂઠી છે તેમ કદી સાબીત થવાનું જ નથી. અન્યની નિંદા-ટીકા દ્વારા પિતાના વિચારોની ઉત્તમતા દેખાડવા જનાર અંતે નાસીપાસ થાય છે. તેના ઉત્તમ વિચારે ઉપર પણ બીજા મનુષ્યોને શંકા ઉઠે છે; માટે તેવી પ્રવૃત્તિ છોડી દઈ તમારા સત્ય વિચારે જેમ વધારે ફેલાય, જેમ લેકસમૂહમાં વધારે જાણવામાં આવે તેવો પ્રયત્ન કરજે, અને તમારી સત્ય વાત અતે અવશ્ય પ્રગટ થશેજ, લોકે તેને માન આપશે, અને અન્યના હલકા વિચારો સ્વત:જ ઉડી જશે. જોકે તેના તરફ દષ્ટિ પણ નહિ કરે તે ખાત્રીથી માનજે.
* Efficiency નામક અંગ્રેજી માસિકમાંથી અવતરણ. .