________________
૫૨૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પણ—વિચારની અત્યંત શુદ્ધિ સાધવી, વિચારને ચિતિશક્તિમય કરી દે એજ છે.
શુદ્ધવિચારને સે-શુદ્ધ વિચારનું જ સેવન કરે. રવિવાર અંતાપ સર્વવા ર રાવ. અશુદ્ધ વિચાર તત્કાળ ત્યજી દે, હમણાં ત્યજો–આ ક્ષણમાં ત્યને, તમે દેવ થશે, દેવના પણ દેવ થશે-ત્રિભુવનમાં તમારું સ્વામીવ પ્રવર્તશે. ધન, ઐશ્વર્ય, આરોગ્ય, બળ, વિદ્યા, જે જોઈશે તે સર્વ તમારે ચરણે પડશે. તમને કંઈ પણ દુર્લભ નહિ રહે, તમે સર્વાધિપતિ પૂર્ણ પુરૂષોત્તમ થશે.
શદ્ધ વિચાર સેવ કઠિન જણાય છે? શુદ્ધ આચરણનું પાલન અશકય જ ણાય છે? શા માટે મિથ્યા ભડકે છે? સરલને કઠિન બ્રાંતિથી શામાટે માને છે ? તમારા અંતઃકરણમાં સર્વાધિપતિ ચિતિશકિત વિરાજે છે. સિંહની સમીપમાં રહીને સસલાથી બીહ છે? લજજા પામે. અસંખ્ય મહારથીઓને પૂરે પડે એ અર્જુન સમાન ચિતિશકિતરૂપ અતિરથી તમારા હદય રથમાં છતાં બીકણું ઉત્તર કુમારની પેઠે પાછે પગે ના છો શું? સ્થિર થાઓ, શ્રદ્ધા ધરે, ભયને પરિય. શુદ્ધવિચાર સેવ, એ બહુજ સરળ છે. શુદ્ધવિચાર સ્વાભાવિક છે. અશુદ્ધ વિચાર અસ્વાભાવિક છે. સ્વાભાવિકને સેવવું એમાં કઠિન શું?
ઈતિશમ્ ગ્રંથસંગ્રહિતા.
ગીતિ.
विनयविजयमुनिनायं षष्ठपरिच्छेद एवमत्रैव। सङ्ग्रथितः सुगमार्थ व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ १ ॥
વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ) ગ્રંથને છઠ્ઠો પતિછેદ વ્યાખ્યાન કરનારાઓ ( સાધુ તથા સાધ્વીઓ) ની સુગમતા માટે રચે છે, તે સદા વક્તા તથા શ્રાતાના કલ્યાણ માટે હો !
षष्ठ परिच्छेद परिपूर्ण