SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસના અધિકાર. ૫૧૧ લક છાપા કરે, બહુ વ્રત-ઉપવાસ કરે, બહુ ધર્મની વાત કર્યા કરે બીજા ભકતેમાં ભળ્યા કરે, અને પિતાની સેવા-પૂજામાં બહુ વખત ગાળે, તે પેલા શેઠિયાને પસંદ પડતું નહિ. તેથી તે કહેતે કે ભક્ત તમે ભકત થયા પણ હજુ ઢાંગ ન મૂકયા. આ બધા ઢંગ માંડ્યા છે? એમાં કાંઈ નહીં વળે, પ્રભુ તે અંતરમાં જોઈએ. આ બહારના વાગવા શું કામના ? આમ વાત ચાલે છે એટલામાં તે ફેટીતેપને અવાજ સાંભળીને શેઠે કહ્યું કે, ભક્ત ! ચાલે ચાલે, જલદી કરે; આની ધામધુમ જેવા જેવી છે. ભકતે પૂછ્યું કે શું છે? શેઠે કહ્યું કે અરે ભલા માણસ ! એટલી પણ ખબર નથી ? આજે વિલાયતથી કલકત્તાના ગવર્નર સાહેબ આપે છે. ભકતે કહ્યું કે ગવર્નર આવે તેમાં શું થયું ? એમાં આટલી બધી ધામધુમ શેની? શેઠે કહ્યું કે, એ કાંઈ સવાલ છે? ગવર્નર આવે તેમાં શું થયું ? તમે ભગતડાએ તે દુનિયાદારીમાં કાંઇ સમજે છે કે નહીં જ? માટે હાકેમ આવે તેને માન ન આપવું જોઈએ. છે એને એના દરજા પ્રમાણે માન ન આપીએ તે પછી રાજ તરફની આપણું વફાદારી કેવી રીતે બનાવી શકાય? ભક્ત કહ્યું કે, પણ એવી વફાદારી બતાવવાની જરૂર છે? આ સાંભળીને તે શેઠ ચીડાઈ ગયો. તેણે કહ્યું કે, ભગત! તમે સાવ ઢાર જેવા છે. રાજ્ય તરફ વફાદારી બતાવવાની જરૂર શું એમ તમે કહે છે? એમ કહેનારને તે મુશ્કેટાટ બાંધીને ખૂબ ફટકાવવા જોઈએ, જેના રાજ્યમાં આ પણે સુખથી રહીએ, જે આ પણું રૂડી રીતે રક્ષણ કરે, જે આપણને નવા નવા હકે આપે, જે આપણને ચેરથી લુટારાઓથી, ને પરદેશી લોકોના હુમલાઓથી બચાવે જે આપણે માટે રસ્તાઓ પુલે, દવાખાનાઓ ને નિશાળે વગેરે બંધાવે, જે આપહા ધંધા રોજગારને, ખેતીવાડીને તથા વેપારને ખીલવે, દુકાળ, જેલ, આગ વગેરે આફતને વખતે જે આપણને મદદ કરે, અને જે આપણું ધર્મનું રક્ષણ કરે, તે રાજની તરફ વફાદાર ન રહે અને તેવા ભલા હાકેમેને માન ન આપે, એના જે નિમકહરામ બી કોણ! . ભકતે કહ્યું કે, શેઠ? તમારી બધી વાત ખરી છે પણ એ ઉપરથી તે સોથી વધારે નિમકહરામ તમે લાગે છે. શેઠે કહ્યું કે, તમારું ભેજું જરા ચશ્કેલું લાગે છે. હું કેવી રીતે નિમકહરામ છું? ભકતે કહ્યું કે ગવર્નર અને ગાનના રાજના રાજા પણ જેના ચરણમાં હજારો હજારવાર માથું ઝુકાવી રહ્યા છે, તે સર્વ શક્તિમાન પ્રભુ તરફ તમે બેદરકારી રાખે છે, માટે તમે સર્વ નિમકહરામ ક. રતાં પણ વધારે નિમકહરામ છે. કારણ કે બીજા નિમકહરામે તે દુનીયાંની તરફ નિમકહરામ હોય છે, પણ તમે તે ખુદ પ્રભુની તરફ નિમકહરામ છો. હવે તમે વિચાર કરે કે એક હાકેમ આવવાને હેય તેને માટે પણ જ્યારે એટલી બધી ધામધુમ કરવી પડે છે, ત્યારે અનંત બ્રહ્માંડના નાથને આપણું હૃદયમાં લાવવા માટે કાંઈ તૈયારી ન જઈએ કે ?
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy