SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ પદિ ધર્મોદય આવશ્યક-અધિકાર. છે કે કેટલાકમાં સામાન્ય રૂચિ, જેન ધર્મના ફરમાને ઉપર અથવા તે જેનીય ક્રિયા ઉપર અંતઃકરણમાં ફરતી હોય અને તેને લઈને તેવાઓ એમ કહેતા હોય કે અમારામાં શ્રદ્ધા છે, તે તેવી સમજવાળ તે વિચારમાં કેટલોક વખત છેતરાવા સંભવ છે, કેમકે શ્રદ્ધા કાંઈ જુદી જ ચીજ છે, અને મેહ જુદી ચીજ છે. કુલ ધર્મને લઈને, લાંબા કાલના પરિચયને, અથવા તે તેવાં બીજા કારણેને લઈને કેટલાકને અમુક ક્રિયા ઉપર, અમુક ધર્મ ઉપર, અને અમુક ધર્મના અંગ ઉપર, એક જાતને મેહ થઈ જાય છે, જે મેહની કસોટી કેટલીક વાર સફળ, અને કેટલીકવાર નીષ્ફળ નીવડે છે. સત્ય શ્રદ્ધા તેથી જુદી જ ચીજ છે શ્રદ્ધામાં યથાર્થ દષ્ટિ છે, ત્યારે મેહમાં આગ્રહ પેદા થાય છે. આ હકિકત બહુ વિચાર કરવાથી, અને પોતાના અંતઃકરણને પૂછવાથી,વિચારશીલને સમજાય તેવી છે, બીજી રીતે શાસ્ત્રમાં એમ પણ કહેવું છે કે વ્યવહારથી સમ્યકત આરોપણ કરી જૈન બનાવ, અને તે ક્રમશઃ શુદ્ધ વ્યવહાર સેવનથી, સત્સંગથી, સતુશાસ્ત્ર પરિચયથી ભાવ ન થઈ શકે છે. આ વાકયને લેખક અંતઃકરણથી માન આપે છે પણ જેઓને વ્યવહાર પણ તથા પ્રકારના પરિણામની સ્થિતિ પ્રાપ્ત કરનાર હોય તેવાઓને માટે સત્ય નીવડે; પણ જે આવાં વચનને સ્વીકાર કરી, પિતામાં પૂર્ણતા માની બેસે છે, તેવાઓને વ્યવહાર કરી પણ ભાવ જૈનતાને પ્રાપ્ત કરી આપતા નથી. બીજાં ગુણે મનુષ્ય જાતમાં અને તેમાં પણ જેમાં ભલે ક્રમશઃ પ્રાપ્ત થાઓ, પણ મનશુદ્ધિને પ્રયત્ન તે પ્રથમ સેવ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ માટે જ્યાં સુધી બેપરવાઈ ભરેલી પ્રવૃતિ કરવામાં આવે છે, ત્યાં સુધી તેવા જેમાં ભાવન પણું પ્રાપ્ત થવું દુર્લભ છે; સમ્યકત્વની માફક અંતઃકરણની શુદ્ધિ પણ એક ઉત્તમ શરૂઆતનું સાધન છે. વર્તમાન કાળના જે પૈકી ઘણું જેને પોતે પોતાની જાત માટે પિતાના અંતકરણને પૂછશે, અને પિતાની જીંદગી દરમ્યાન કરેલાં સામાયિક, દેવપૂજા, તીથયાત્રા વગેરેને સરવાળો મૂકશે, અને તેના પરિણામે માનસિક શુદ્ધિની સફળતા કેટલી મેળવી, એ તપાસશે તે બાળ અવસ્થામાં જે દશા હતી, તેજાવનાવસ્થામાં અને વનાવસ્થામાં જે સ્થિતિ હતી તેજ વૃદ્ધાવસ્થામાં, પિતાના અંતસ્કરણમાં પ્રાયઃ કરીને નિહાળશે, જીવનને ઘણે ભાગ શુભ ક્રિયાઓમાં નિર્ગમન કર્યા છતાં, અંતઃકરણ જેવું અને તેવું રહ્યું, મલિનતા દુર થઈ નહીં, કુવાસના ખસી નહીં, વૈરવિધિને તિલાંજલિ અપાય નહીં, અત્યાચાર ભૂલાયા નહિ, ધાદિક મંદ પડયા નહિ, ધન, ધાન્ય પુત્ર પૌત્રાદિક કુટુંબ ઉપરથી મૂછમ પડી નહીં, સ્વશરીરની હાજતે અને ઇંદ્રિય વેપારમાં ઉદાસીનતા આવી નહીં, તે પછી કરેલી શુભ ક્રિયાઓથી શું મેળવ્યું? મમતા તૃષ્ણની વૃદ્ધિ કરે છે, અને તૃષ્ણાવશવતિ જીવ રાગદ્વેષમાં વટલાઈ અનેક અનર્થો સેવે છે તેવા જ પ્રાયશઃ ધર્મ પરડ્રમુખ બની જાય છે. શ્રાવક હોવા સાધુ હ. પણ મમતા ત્યાગ અથવા મમતાની નિર્બળતા જ્યાં સુધી કરી ન હોય, ત્યાં સુધી
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy