SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. અંશ ગ્રહી નય કું...વર ઉચ્ચા, વસ્તુ તત્વ તરૂ ભાંજેજી; સ્યાદ્વાદ અંકુશથી તેહને, આણે ધીર મુલાન્ટેજી; તેહ નિરંકુશ હેાય મતવાલા, ચાલા કરે અનેકેાજિ; અ‘કુશથી દરબારે છાજે, ગાજે ધરિય વિવેકે જિ, ૧૩ નૈયાયિક વૈશેષિક વિચર્યાં, નૈગમ નય અનુસારેજી, વેદાંતી સંગ્રહ નયર’ગી, કપિલ શિષ્ય વ્યવહારેજી; ઋજુ સૂત્રાદિક નયથી સાગત, મીમાંસક નયભેલેજી; પૂર્ણ વસ્તુ તે જૈન પ્રમાણે, ષટદન એક મેલેજી. ૧૪ + નિત્ય પક્ષમાં દૂષણ દાખે,નય અનિત્ય પક્ષપાતીજી; નિત્યવાદમાંહે જે રાતા, તે અનિત્ય નય ઘાતીજી. માંડામાંહી લડે એ કુંજર, ભાંજે નિજકર દંતાજી. સ્યાદ્ વાદ સાધક તે દેખે, પડે ન તિહાં ભગવંતાજી. ૧૫ ૪ 식상 * 'શ ગ્રાહી નયરૂપી હાથી એક એક અંશ ગ્રહી ઉન્મત્ત થઈને વસ્તુતત્વરૂપી વૃક્ષને ભાંગી નાંખે છે તેને ધીર પુરૂષ સ્યાદ્વાદરૂપી અંકુશ વડે મર્યાદામાં રાખી શકે છે. જો તે નયરૂપી હાથી નિરંકુશ રહેતા વેદાંતાદિ વાદમાં પ્રવેશ કરીને અનેક પ્રકારના ચાળા કરે છે તેથી તેનીપર અંકુશ રાખવાની જરૂર છે. સ્યાદ્વાદરૂપી અંકુશથી તે નયરૂપી હાથી સ્વમર્યાદામાં રહે છે અને તે વિવેક રાખી ને ગાજે છે. એટલે સ્યાદ્વાદરૂપ અંકુશ શિક્ષિત થયેલ તે નમ હાથી પદહસ્તી થઇ શ્રી જિનશાસનરૂપ રાજદૂરમાં આત્મબળે ગર્જના કરે છે. ૧૩ - નૈયાયિક અને વૈશેષિક એ છે દર્શન નૈગમનયને અનુસરે છે એટલે તે પૃથક્ નિત્યાનિત્યા દિ દ્રવ્ય માને છે વેદાંતી સંગ્રહ નયના રગી છે. એટલે તે શુદ્ધાત્મ દ્રવ્ય માને છે. કપિલ શિષ્ય-કપિલ મતવાળા વ્યવહાર નયે ચાલે છે એટલે તે પચવીશ તવાને માને છે. સાગત બહુમતવાળા ઋજીસૂત્રાદિક નયથી થયેલા છે. એટલે ઋજુસૂત્ર નયને માને છે. સૈાત્રાંતિક, વૈભાષિક, યેાગાચાર્ અને માધ્યમિક એ અનુક્રમે ઋસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત નયથી થયેલા છે. મીમાંસક ઉપલક્ષણથી વૈયાકરણાદિક નય ભેલે એટલે નયના સાંકલ્પ મિશ્રણથી થયેલા છે અને પૂર્ણ વસ્તુ એટલે પૂછ્યું નગ્ન ભંગ પ્રમાણે વસ્તુ પટ્ટન નરે એક મેળી જૈન્ત કહ્યું છે ૧૪ × જે અનિત્ય નષના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિક છે, તે નિત્ય પક્ષમાં દૂષણુ ખતાવે છે, તે અંકુરાદિ જનક અજનકત્વ વગેરેના વિરેાધથી ક્ષણિક ખીજાદિ સ્થાપે છે અને સદશક્ષણને દોષ બતાવી અભેદગ્રહાદિ ઉપવાદન કરે છે, તથા જે નિત્યવાદમાં રાતા છે. એટલે નિત્યવાદને માનનાર છે, તે અનિત્ય નયના ધાતક બની એકાંતે નિત્ય આત્માદિક માને છે, તે બ'ને હસ્તિ સમાન માંહા માંહી લડે છે અને લડતા થાં પેાતાના કર સૂંડ તથા દાંત ભાંગે છે, અને જે સ્યાદાદ સાધક છે, તે તટસ્થ રહી તેમની લડાઇ દેખે છે. સ્યાદ્વાદ સાધક ભગવંત તેમાં પડતા નથી, ઊાસીન રહે છે. ૧૫
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy