SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય માંના એક તરીકે જીદગી ગુજારવ અને મરણ પામવા હું જન્મવ છું? હું હીચકારા પણાને ધિક્કારું છું હીચકારા કે રાજકીય મિથ્યા પ્રલાપ કરનારા સાથે મારે કઈ પણ લેવા દેવા કે નિસબત નથી કે રાજનીતિમાં મને શ્રદ્ધા નથી. જગતમાં પ્રભુ અને સત્ય એ બે રાજ્યનીતિ છે. બાકીનું સર્વ મિથ્યા છે,હું કાલે લંડન ઉપડી જાઉં છું. આશિષ સાથે આપને વિવેકાનંદ. ( આ પ્રમાણે કહી આ શિષ્યશપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. सुब्राह्मण-अधिकार. ગત અધિકારમાં ગુરૂ શિષ્યને શા બતાવે છે. તેમાં ગુરૂ શબ્દનો અર્થ આચાર્યઉપદેશક અથવા વડિલ થાય છે. તેમાં ઊપદેશક-ગુરૂને ઉદ્દેશીને તેના લક્ષણો કહેવાને આ સુબ્રાહ્મણ-અધિકારને આરંભ કરવામાં આવે છે. ધર્મોપદેશક ગુરૂમાં ઉત્તમ પ્રકારનું બ્રહ્મત્વ હોવું જોઈએ. તેથી તેવા ગુરૂઓ જ સુબ્રાહ્મણ કહેવાય છે. અને તે સુબ્રાહ્મણમહાત્માઓ જ ખરા બ્રાહ્મણ કહેવાય છે. ઈતર બ્રાહ્મણો માત્ર નામધારી છે. ખરા સુબ્રાહ્મણે જ ઊપદેશ આપવાને અધિકારી છે અને તેમને ઊપદેશ સર્વ પ્રકારે આદરણીય છે. સુબ્રાહ્મણનાં અગીયાર લક્ષણા, અનુદ્. (૧ થી ૧૦) क्षमा दमो दया दानं, सत्यं शीलं धृतिघृणा । विद्या विज्ञानमास्तिक्यमेते ब्राह्मणलक्षणम् ॥ १ ॥ ક્ષમા, દમ, દયા, દાન, સત્ય, શીળ, ધીરજ, કોમળતા, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તા–એ બ્રાહ્મણનાં લક્ષણે છે. ૧ + બ્રાહ્મણનું બ્રહ્મત્વ શું કહેવાય? सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेन्द्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म, एतद्राह्मणलक्षणम् ॥२॥ + ૧ થી ૧૨ પુરાણ, સમૃતિ વિગેરે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy