________________
મુનિ મહારાજશ્રી વિનયવિજયજીનું
જીવન ચારિત્ર.
વનની શરૂઆત.
coming events cast their shadows before.
પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય. यथा मृत्पिडतः कोकुरुते यद्यदिच्छति
एवमात्मकृतं कर्म मानवः प्रपिपद्यते ( જેમ માટીના ગળા કુંભાર ઇરછીત આકાર કરી શકે છે તેમ દરેક માણસ પોતાનું સારું કે નઠારૂં નસિબનું બંધારણ પિતાની જાતે જ મેળવી શકે છે.
* આ અપૂર્વ ગ્રંથનું સંશોધન કરી વર્ષોના પરીશ્રમ પછી સ્પષ્ટાર્થ અને વિ. વેચન યુક્ત દેવ, ગુરૂ, અને ધર્મને ઓળખાવતા કિંમતી સાહિત્યને ખજાને આ પણા માટે અર્પણ કરનાર મુનિ શ્રી વિનયવિજયજીના વર્તમાન જીવનની શરૂઆત કાઠિયાવાડના એક નાના ગામડામાંથી થાય છે.
છોડવડી ગામ જુનાગઢ નજીકનું એક ગામડું છે, કે જ્યાં દેવકરણ જાદવજી નામના વિશાશ્રીમાળી વણિક ગ્રહસ્થને ઘરે તેમને જન્મ સં. ૧૯૨૭ ના આષાઢ વદી ૧૧ ના રોજ થયો હતો. આ વખતે તેમનું નામ વીરજી રાખવામાં આવ્યું હતું.
માતા-પિતાનો મુખ્ય ગુણ પુત્રવાત્સલ્યને હોય છે, અને તેમાં પણ દેવકરણ શેઠને ત્યાં એકજ સંતાનની પ્રાપ્તિ હોવાથી તેમને બહુ લાડથી ઉછેરવામાં આવતા