SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय परिच्छेद, જ્ઞાન—ભાવના કે વ્યવહાર વિચારમાં દેવ સ્તુતિ એ મ’ગળના હેતુ રૂપ છે, કેમકે દેવ સ્મરણુ, પ્રભુ પૂજા, એ માનસિક ભાવનાને નિમળ બનાવી શુદ્ધ સકારા વડે મનેાખળને સતેજ કરી શકે છે. આ હેતુથી જ ગ્રંથાર'ભમાં દેવસ્તુતિ કરતાં ધ્રુવની ઓળખ કરાવવાને યત્ન કર્યાં છે. કેમકે જે પવિત્ર ભાવના દેવસ્મરણ માટે છે તે ભાવનાની સિદ્ધિ તેવાજ પવિત્ર-પૂજ્ય દેવના ધ્યાનથી પ્રાપ્ત થઇ શકે છે. અને તેટલાજ માટે સુદેવની આળખ આપવા સાથે અર્હત, સિદ્ધ, આદિ પવિત્ર નિરાખાધ દેવાની ઓળખ આપતાં તેમના ગુણુ, શક્તિ અને પ્રભાવને દર્શાવવા સાથે તેમની દ્રવ્ય તેમજ ભાવપૂજાનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. આ સ્વરૂપને વિસ્તારથી અને સરલ ભાવથી સમજાવવાનુ કાય ગુરૂનું છે. અને તેથી ગુરૂસ્મર ણુની જરૂરીયાત કાઇ પણ કાર્ય માં તેટલીજ અગત્યની ગણાય છે. દેવસ્મરણ એ જેટલે અ ંશે મનને નિર્મળ કરે છે તેટલેજ અંશે ગુરૂ મનને સરલ અને સમજદાર કરી શકે છે, કોઇ પણ વાતચિત, વ્યવહાર, વાંચન કે ધર્માચરણુ અથવા જગના કોઇ પણ વ્યવહારમાં ગુરૂદકની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી કઇ વાતને ગુરૂ સન્મુખ મૂકવામાં આવતી નથી ત્યાં સુધી તે સ્પષ્ટ અને સુદૃઢ અસર કરી શકતી નથી, અને તેટલાજ માટે ગુરૂને દીપકની ઉપમા અપાય છે એવા પવિત્ર જ્ઞાનમય મહાત્મા ગુરૂનુ` આ પ્રસંગે સ્મરણ કરતાં ગુરૂના સ્વરૂપને દર્શાવવાને આ પિછેદમાં યત્ન કરવામાં આવ્યે છે. સુસાધુ–સધિહાર. ૫ ગુરૂ યાને સાધુની એકળખ કરવા માટે વ્યવહાર અને આચરણને જાણવા માટે સુગુરૂના લક્ષણ પ્રથમ દર્શાવવામાં આવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy