________________
विनय विभावय शाश्वतं हृदि लोकाकाशम् । । सकल-चराचर धारणे, परिणमदवकाशम् ॥ १ ॥
વિનય ! વિભાવય શાશ્વત लसदलोकपरिवेष्टितं गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः सुघटित सीमानम् ॥ २ ॥ विनय. પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી લોકસ્વરૂપ ભાવનાને કાવ્યમાં ગાતાં કહે છે કે -
“ઓ વિનય, તારા હૃદયમાં તું શાશ્વત લોકાકાશનું ચિંતન કર. એ લોકાકાશ તમામ ચલ-અચલને ધારણ કરનાર હોવાથી દ્રવ્યના રૂપમાં આશ્રય આપે છે.” ૧.
અલોકથી આવેષ્ટિત આ લોક દીપ્તિમાન છે અને એના વિસ્તારની સીમાને માપવી અસંભવ છે. છતાં પણ ધમસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યોને સહારે એની સીમા નિશ્ચિત તો છે જ.’ ૨. શાશ્વતનું ચિંતન કરોઃ - ગ્રંથકાર કહે છે : શાશ્વતનું ચિંતન કરો. પ્રસ્તુતમાં શાશ્વતનો અર્થ છે - લોકાકાશ ! લોકાકાશમાં પણ ત્રસનાડી - ૧૪ રાજલોક ઊંચી અને ૧૪ રાજલોક પહોળી ! એમાં સર્વ છ દ્રવ્યો રહેલાં છે. લોકાકાશ છ દ્રવ્યોનો આધાર છે. એટલા માટે ચિંતનની અતિ વિશાળ સામગ્રી એમાં રહેલી છે. એટલા માટે મેં આ પ્રસ્તુત ભાવનાને વિવેચનમાં સરળ અને વ્યાપક રૂપથી છ દ્રવ્યો સમજાવ્યાં છે. કારણ કે તમે લોકો આ વિષયમાં ચિંતન કરી શકો.
શું તમે આ વિષય ઉપર ચિંતન કરશો? અર્થ અને કામના વિચારોથી તમારા લોકોનાં દિમાગ ભરેલાં છે. તમે કેવી રીતે શાશ્વત લોકાકાશનું ચિંતન-મનન કરશો?મારું એ કહેવું છે કે જે ક્ષણિક છે, જે પાપકર્મ બંધાવે છે, એવું જોવું, સાંભળવું અને ચિંતન કરવું વ્યર્થ છે. મનુષ્ય જીવનનો દુરુપયોગ છે. મનુષ્ય મનનો દુર્વ્યય છે. હવે એવી પ્રવૃત્તિ બંધ કરો અને શાશ્વતનું ચિંતન-મનન કરવાનું શરૂ કરો. આત્માનું, પરલોકનું, ૧૪ રાજલોકનું, સિદ્ધશિલાનું ચિંતન કરતા રહો. એનાથી અનંત-અનંત કર્મોની નિર્જરા થશે. ૧૪ રાજલોક અલોકથી આવેષ્ટિત-ઘેરાયેલું છે. અલોક
૧૪ રાજલોકની ચારે બાજુ અલોક છે, એને અલોકાકાશ પણ કહે છે. અલોકમાં માત્ર આકાશાસ્તિકાય હોય છે. બાકીનાં પાંચ દ્રવ્યો અલોકમાં નથી હોતાં. અલોકની સીમા નથી, લોકની સીમા છે. અલોકમાં ધમસ્તિકાય નથી, એટલા માટે
લોકસ્વરૂપ ભાવના
૪૧