________________
મનની સ્થિરતા પ્રાપ્ત કરો ઃ
લોકસ્વરૂપનું ચિંતન મનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે છે. સ્થિરતાના વિષયમાં ‘જ્ઞાનસાર’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ
૧. હે વત્સ ! તું ચંચળ પ્રવૃત્તિનો બનીને ભટકી-ભટકીને શા માટે વિષાદ કરી રહ્યો છે ? તારી પાસે રહેલા ભંડારને તો સ્થિરતા બતાવશે.
૨. જ્ઞાનરૂપી દૂધ, અસ્થિરતારૂપી ખાટા પદાર્થથી (લોભના વિકારોથી) બગડી જાય છે, એ સમજીને સ્થિર બન.
૩. જો ચિત્ત સર્વત્ર ભટકતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર, આકૃતિ અને વેષાદિનું ગોપન કરવારૂપ ધર્મક્રિયાઓ દુષ્ટા સ્ત્રીની જેમ કલ્યાણકારિણી બની શકતી નથી.
૪. જો મનમાં રહેલી મહાશલ્યરૂપ અસ્થિરતા દૂર ન કરી, એને મૂળમાંથી ઉખાડીને ફેંકી ન દીધી, તો પછી ક્રિયારૂપ ઔષધિ જો લાભ નથી કરતી તેનો શો દોષ ? ૫. જે મહાપુરુષને સ્થિરતા મન-વચન-કાયાના એકાત્મભાવથી પ્રાપ્ત થઈ છે, એવા મહાયોગી ગામ-નગર અને અરણ્યમાં રાત-દિવસ સમભાવવાળા હોય છે. ૬. જો સ્થિરતારૂપ રત્નદીપ સદાસર્વદા દેદીપ્યમાન હોય તો ભલા, સંકલ્પરૂપ દીપશિખાથી ઉત્પન્ન વિકલ્પોના ધૂમ્રવલયોનું શું પ્રયોજન ? બરાબર એ જ રીતે અતિમલિન એવા પ્રાણાતિપાતાદિક આસ્રવોની પણ શી જરૂર છે ?
૭. જો અંતઃકરણમાં અસ્થિરતારૂપી આંધી પેદા કરશો તો નિઃસંદેહ ધર્મ-મેઘ સમાધિ'ની શ્રેણીને તે વિખેરી નાખશો.
૮. યોગની સ્થિરતા જ ચારિત્ર છે અને એ હેતુથી સિદ્ધિ અંગે પણ કહેવામાં આવ્યું છે. આથી હે યોગીજનો ! આ સ્થિરતાની પરિપૂર્ણ સિદ્ધિ માટે સમુચિત પ્રયત્ન કરો.
સ્થિરતાના રત્નદીપકના શીતલ પ્રકાશમાં આધ્યાત્મિક માર્ગનું અનુસરણ ચાલુ રાખ, પૂર્ણતાની મંજિલ અવશ્ય પ્રાપ્ત થશે.
આજે બસ, આટલું જ.
લોકસ્વરૂપ ભાવના
૩૯