________________
૮૯૭ થી ૩ યોજન ઉપર શનિનો ગ્રહ છે.
# અલોકથી ૧૧૧૧ યોજન દૂર જ્યોતિષ વિમાન સ્થિર હોય છે.
# મેરુથી ૧૧૨૧ યોજન દૂર જ્યોતિષ વિમાન ચાલે છે.
'
જ્યોતિષ દેવોના વિમાન
*
જ્યોતિષ દેવોના વિમાન (નિવાસ) અર્ધકપિત્થ ફળ જેવાં હોય છે અને સ્ફટિક રત્નમય હોય છે.
વ્યંતરદેવનાં નગરોથી જ્યોતિષ વિમાન અસંખ્યાત ગણાં વધારે હોય છે. જ્યોતિષ વિમાન ઉદય-અસ્તકાળમાં તિર્યક્ પરિભ્રમણ કરે છે, એ સમયે તે અર્ધકપિત્થ ફળના આકારનાં નથી દેખાતાં, પરંતુ ગોળ - વૃત્તાકાર દેખાય છે. એની ઉપર ચંદ્રાદિ દેવોના નિવાસ - પ્રાસાદ હોય છે.
– જે વિમાન લવણસમુદ્રમાં છે તે ઉદક સ્ફટિક રત્નનાં છે. જંબુદ્રીપ અને ધાતકીખંડની વેદિકાથી ૯૫ હજાર યોજન સુધી ગોતીર્થ છે. (ભૂમિના અત્યંત ઢોળાવવાળા ભાગ ગોતીર્થ કહેવાય છે.) આ બેની વચ્ચે લવણસમુદ્રની શિખા ૧૦ હજાર યોજન પહોળી અને ૧૬ હજાર યોજન ઊંચી છે. એ શિખામાં ૯૦૦ યોજન સુધી જ્યોતિષ વિમાન ચાલે છે, પરંતુ ઉદક સ્ફટિક રત્નના પ્રભાવથી પાણી ફાટી જાય છે, એ વિમાનોમાં પાણી ભરાઈ જતું નથી. એ રીતે વિમાનોના તેજમાં ફરક નથી પડતો.
– ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાની ગતિ ક્રમશઃ શીઘ્ર હોય છે; જ્યારે સમૃદ્ધિ ક્રમશઃ ઓછી હોય છે.
# ચંદ્રના વિમાનને વહન કરનારા ૧૬,૦૦૦ દેવો હોય છે. સૂર્યના વિમાનને વહન કરનારા ૧૬,૦૦૦ દેવો હોય છે. ગ્રહના વિમાનને વહન કરનારા ૮,૦૦૦ દેવો હોય છે. નક્ષત્રના વિમાન વહન કરનારા ૪,૦૦૦ દેવો હોય છે. તારાના વિમાન વહન કરનારા ૨,૦૦૦ દેવો હોય છે.
પૂર્વમાં સિંહના રૂપમાં, દક્ષિણમાં હાથીના રૂપમાં, પશ્ચિમમાં બળદના રૂપમાં અને ઉત્તરમાં અશ્વના રૂપમાં દેવો જ્યોતિષ વિમાનો વહન કરે છે.
ચંદ્રનો પરિવાર :
ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ હોય છે, રત્નક્ષત્ર હોય છે અને ૬૬,૯૭૫ કોડાકોડી તારા હોય છે. જ્યોતિષ દેવોમાં બે ઇન્દ્ર હોય છે - સૂર્ય અને ચંદ્ર. ચંદ્રનો પરિવાર સૂર્યના ઉપભોગમાં આવી જાય છે, એટલા માટે સૂર્યનો અલગ પિ૨વા૨ નથી.
૨૨
શાન્તસુધારસ : ભાગ ૩