SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयाऽतीतगीतोनीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः । गत्वासत्त्वाममत्वातिशयमनुपमा चक्रिशक्राधिकानां, सौख्यानां मक्षुलक्ष्मी परिचितविनयाः स्फारकीर्ति श्रयन्ते ॥१॥ પરમ ઉપકારી ઉપાધ્યાય વિનયવિજયજી “શાન્તસુધારસ ગેય કાવ્યનો ઉપસંહાર કરતાં કહે છે આ રીતે સંભાવનાઓથી સુવાસિત હૃદયવાળા મહાત્મા નિશંક થઈને આત્મતત્ત્વના ચિંતનથી મોહનિદ્રા-મમત્વ વગેરેને તત્કાલ દૂર કરી દે છે. સત્વશીલ થઈને નિર્મમત્વભાવને ધારણ કરે છે. અનુપમ અને ચક્રવર્તીદેવેન્દ્રનાં સુખથી ય અધિક, ભાવનાભાવિત મનનું સુખ વધારે સઘન હોય છે. એ સુખને ચારે કોર પ્રસારિત કરીને પોતાનો યશ ફેલાવે છે અને અંતમાં મોક્ષશ્રી પ્રાપ્ત કરે છે.’ સદ્ભાવનાઓથી હૃદય સુવાસિત થાઓ, અનિત્યાદિ બાર ભાવનાઓના ચિંતનથી અને મૈત્રી આદિ ચાર ભાવનાઓને આત્મસાત્ કરવાથી હૃદય સુવાસિત-સુગંધયુક્ત બની જાય છે. દુભાવનાઓની દુર્ગધ દૂર થઈ જાય છે. હૃદય સુવાસિત થઈ જાય તો મનુષ્યના વિચારો શુભ, નિર્મળ અને કલ્યાણકારી થાય છે. એની વાણી વિનમ્ર વિનીત. સત્ય અને મધુર બને છે. એનો બીજા લોકો સાથે સારો વ્યવહાર હોય છે. બીજા લોકો એની પાસે બેસવાનું બોલવાનું પસંદ કરે છે. ભાવનાઓથી હૃદય નિઃશંક થાઓઃ જેમ જેમ મનુષ્ય આ ભાવનાઓથી ભાવિત -પ્રભાવિત થતો જાય છે, તેમ તેમ એનું હૃદય નિઃશંક થતું જાય છે. વિશેષ રૂપે આત્મતત્ત્વ પ્રત્યે એ શ્રદ્ધાપૂર્ણ બનતો જાય છે. એને આત્મતત્ત્વ વિષયમાં કોઈ શંકા રહેતી નથી અને આત્મતત્ત્વ પ્રત્યે નિઃશંક થતાં પરલોક અને મોક્ષ પ્રત્યે પણ મનુષ્ય શ્રદ્ધાવાન બની જ જાય છે. તમે લોકોએ બધી જ - સોળ ભાવનાઓનાં પ્રવચનો સાંભળ્યાં છે. જો તમે એની ઉપર ચિંતન-મનન કરતા રહેશો તો સાંસારિક પ્રવૃત્તિઓમાં ઉદાસીનતા આવ્યા સિવાય નહીં રહે અને આત્મતત્ત્વનું શુભચિંતન શરૂ થઈ જશે! આત્મતત્ત્વનું ચિંતન કરોઃ વિચાર કરો: ધનવાન નથી, સૌન્દર્યવાન નથી, પિતા નથી, માતા નથી. મનુષ્ય નથી, ગુરુ નથી, લઘુ નથી, શરીર નથી, શક્તિશાળી નથી, સત્તાધારી નથી, વકીલ નથી, ડૉક્ટર નથી, અભિનેતા નથી..... હું માત્ર એક શુદ્ધ આત્મદ્રવ્ય છું.' સંસારનાં ધનધાન્યમારાં નથી, માતાપિતા મારાં નથી, પુત્રપુત્રીઓ મારાં નથી, (૩૧૪ | શાનસુધારસઃ ભાગ ૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy