SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ માળા ફેરવતી વખતે તો દુનિયાભરના ગંદા વિચારો આવે છે, શું કરીએ ?' | વિચારોનું પરિવર્તન તો માણસ જાતે જ કરી શકે છે. અમે તો માત્ર માર્ગદર્શન આપી શકીએ છીએ. ખરાબ વિચારોને રોકવા અને સારા વિચારો કરવા, એ પણ કર્મોને આધીન છે. ઓછામાં ઓછું બીજાંને માટે તો આ જ વિચારવું અને ખરાબગંદા વિચારો કરનારાઓ પ્રત્યે ઉદાસીનભાવ - ઉપેક્ષાભાવ જ રાખવાનો છે. દરેક જીવની ભવિતવ્યતા નિશ્ચિત છે: બીજા જીવો પ્રત્યે રજમાત્ર પણ રાગદ્વેષ-ઈષ્ય, કલહ આદિ કોઈ પણ પ્રકારના દુભવ ન થાય એટલા માટે આ વિશિષ્ટ તત્ત્વચિંતન બતાવવામાં આવે છે. પ્રાયઃ આપણે આવા પ્રકારનું ચિંતન કરતા નથી. આજે હું તમને જૈનદર્શનનો ‘કારણવાદ બતાવું છું. ધ્યાનથી સાંભળજો અને સમજવા કોશિશ કરજો. કારણવાદઃ કારણ વગર કાર્ય બનતું નથી. જેટલાં કાર્યો દેખાય છે. એ બધાંનાં કારણો હોય છે. જ્ઞાનીઓએ વિશ્વમાં એવાં પાંચ કારણો જોયાં છે, જે સંસારના કોઈ પણ કાર્યની પાછળ હોય છે. એમાંથી એક પ્રમુખ કારણ હોય છે અન્ય ચાર સામાન્ય કારણો હોય છે. ૧. કાળઃ વિશ્વમાં એવાં કેટલાંય કાર્યો દેખાય છે કે જેમાં કાળ (સમય) જ કાર્ય કરતો દેખાય છે. ત્યાં કાળને મુખ્ય કારણ સમજવું જોઈએ અને અન્ય ચાર કારણોને ગૌણ સમજતાં રહ્યાં - (૧) સ્ત્રી ગર્ભવતી બને છે, તે નિશ્ચિત સમયે જ બાળકને જન્મ આપે છે. (૨) દૂધમાંથી અમુક સમયે જ દહીં જામે છે. (૩) તીર્થંકર પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી અને નિશ્ચિત સમયમાં જ એમનું પણ નિવણ થાય છે. (૪) છ ઋતુઓ પણ પોતપોતાના સમયે જ આવે છે અને જાય છે. આ બધામાં કાળ પ્રમુખ કારણ છે. ૨. સ્વભાવઃ સ્ત્રીને મૂછો કેમ નથી આવતી?આ સ્વભાવ છે. હથેળીમાં વાળ કેમ નથી ઊગતા? લીમડાના ઝાડ પર કેરી કેમ નથી આવતી? મોરનાં પીંછાં એવાં રંગબેરંગી અને કલાયુક્ત શા માટે હોય છે?બોરડીના કાંટા એવા અણીદાર કેમ હોય છે? ફળફૂલ આવાં વિવિધરંગી શા માટે હોય છે? પર્વતો સ્થિર અને વાયુ શા માટે ચંચળ હોય છે? આ તમામ પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દમાં થાય છે - “સ્વભાવ'. ૩. ભવિતવ્યતા આંબાના ઝાડ ઉપર ફળ આવે છે અને કેટલાંય નીચે પડી જાય ૩૦૦ શાન્ત સુધારસઃ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy