________________
तिर्यग्लोको विस्तृतो रज्जुमेकाम्, पूर्णो द्वीपैरणवान्तरसंख्यैः । यस्य ज्योतिश्चक्रकाञ्चीकलापं
मध्ये काश्य श्रीविचित्रं कटित्रम् ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસમાં લોકસ્વરૂપ ભાવનાનું સ્વરૂપ બતાવતાં કહે છે?
તિલોક મધ્યલોક-મર્યલોકોનો વિસ્તાર એક રજજુ (એક રાજલોક)ના માપનો છે. એમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો સમાવિષ્ટ છે. જ્યોતિષચક્રનું સ્થાન લોકપુરુષના સુંદર કટિસૂત્ર-કંદોરાના રૂપમાં છે. લોકપુરુષનો એ કટિપ્રદેશ અત્યંત પાતળો અને સુશોભિત છે. દ્વિીપ અને સમુદ્રોઃ
મધ્યલોકની આકૃતિ ઝાલર સમાન છે. આ વાત દ્વીપ-સમુદ્રોના વર્ણનથી સ્પષ્ટ થાય છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે, જે દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્ર પછી દ્વીપ એ ક્રમથી અવસ્થિત છે, એ બધાનાં નામ શુભ છે. દ્વીપ-સમુદ્રોના વ્યાસ, એમની રચના અને આકૃતિ સંબંધી ત્રણ વાતો વર્ણિત છે. જેનાથી મધ્યલોકનો આકાર જ્ઞાત થાય છે. વ્યાસઃ
જબૂદ્વીપનો પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર એક-એક લાખ યોજન છે. લવણસમુદ્રનો એનાથી બમણો છે. એ રીતે ધાતકીખંડનો લવણસમુદ્રથી. કાલોદધિનો ધાતકીખંડ કરતાં, પુષ્કરવર દ્વીપનો કાલોદધિથી, પુષ્કરોદધિનો પુષ્કરવાર દ્વીપથી બમણો-બમણો વિખંભ (
વિસ્તાર) છે. રચનાઃ
દ્વીપ-સમુદ્રોની રચના ઘંટીના પડ અને એના થાળાની જેમ છે. જંબૂદ્વીપ લવણસમુદ્રથી વેષ્ટિત છે. એ રીતે લવણસમુદ્ર ધાતકીખંડથી, ધાતકીખંડ કાલોદધિ પુષ્કરવર દ્વીપથી અને પુષ્કરવર દ્વીપ પુષ્કરોદધિથી વેષ્ટિત છે. આ જ ક્રમ સ્વયંભૂરમણ’ સમુદ્ર પર્વત છે. આકૃતિ:
જબૂદ્વીપ થાળીની જેમ ગોળ છે અને અન્ય બધા દ્વીપ-સમુદ્રોની આકૃતિ વલય - બંગડી જેવી છે.
૧૦ |
T શાન્તસુધારસઃ ભાગ ૩]