________________
દોષ જોતો નથી. એ તો વિશ્વાસ કરે છે. પ્રેમ અધિકાર નથી. એ તો શાશ્વત હોય છે.
૫. તમારી મહત્ત્વાકાંક્ષાને સંયમમાં રાખો મહત્ત્વાકાંક્ષા પવિત્ર ધ્યેય માટે પણ હોય છે અને તુચ્છ સ્વાર્થ માટે પણ હોય છે. તમારી મહત્ત્વાકાંક્ષાને સીમિત રાખો. મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણભાન હોવું જરૂરી છે. કોઈ કોઈ વાર મનુષ્ય મહત્ત્વાકાંક્ષા પાછળ પાગલ બનીને દોડે છે અને નિરાશ તેમજ નિષ્ફળ થઈને પાછો ફરે છે. મહાન વિજેતાઓએ પણ, જેમણે પોતાની મહત્ત્વાકાંક્ષાને સંયમિત ન રાખી શકયા અને એ કારણે વિનાશ પ્રાપ્ત કર્યો છે.
૬. મૈત્રીનું હૃદયથી સ્વાગત કરો । સાચા મિત્ર હોવા માટે આત્મા મહાન જોઈએ. મૈત્રી માટે માણસે ઘણું બધું ભૂલવું જોઈએ. મૈત્રી ક્ષમાશીલતા ઇચ્છે છે. મૈત્રી માટે ધૈર્ય જોઈએ. સાચો મિત્ર પામવા માટે સાચા મિત્ર બનવું પડે છે, તો જ મૈત્રીનું અમૃત મળે છે.
૭. દુઃખોથી ડરો નહીં ઃ દુઃખોથી ડરવું નહીં. આપણે દુઃખથી ડરીએ છીએ. જીવનમાં કોઈ કોઈ વાર નિરાશા આવી જાય છે. દુઃખ આપણા પ્રારબ્ધમાં હોય જ છે. પરંતુ એવું નહીં કે દુઃખ આવે ત્યારે રુદન કરીએ, વિલાપ કરીએ. દુઃખ સમતાભાવથી સહન કરો. રુદન-કલ્પાંત કર્યા પછી આપણે મૈત્રી અને પ્રેમનું મહત્ત્વ સમજીએ. દુઃખાગ્નિમાં તપ્યા બાદ આપણે શુદ્ધ સ્વરૂપમાં પ્રકટ થઈએ
છીએ.
૮. શ્રદ્ધા-વિશ્વાસને હૃદયમાં સુરક્ષિત રાખો પરમ કૃપાનિધિ પરમાત્માની કરુણામાં દૃઢ સૌમ્ય અને પૂર્ણ વિશ્વાસ જ આપણને ક્ષણભંગુર જીવનના અંત સુધી લઈ જશે. શાશ્વત જીવનના દ્વાર સુધી લઈ જશે. આ વિશ્વાસ અને અવિચળ શ્રદ્ધા આપણને આપણું જીવન સુંદર અને સમર્થ રીતે જીવવા માટે સહાયક બનશે. જીવનને સાર્થક અને મૂલ્યવંતુ બનાવવા માટે આ આઠ વાતો સાચા અર્થમાં સહાયક છે, માર્ગદર્શક છે.
.
परिहरताश्रवविकथागौरव मदनमनादिवयस्यम् ।
क्रियतां सांवर साप्तपदीनं, ध्रुवमिदमेव रहस्यं रे ॥ ६ ॥
આસ્રવ, વિકથા, ગારવ અને કામેચ્છાના કચરાને હવે બહાર કાઢી ફેંકી દે. સંવર
આત્માના શાસનને તું તારો મિત્ર બનાવ, સાથીદાર બનાવ. ખરેખર આ એક રહસ્યની વાત છે.
અનાદિ મિત્ર આસ્રવોનો ત્યાગ કરો ઃ
જરા વિચાર કરો, વાત કરુણા ભાવનાની ચાલી રહી છે. વિષય કરુણાનો છે અને
શાન્તસુધારસ : ભાગ ૩
૨૫૦