SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ કોળિયો લઈને મુખમાં મૂકવા જતા હતા તેવામાં જ એકચંડાળ પોતાના કૂતરાને લઈને ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યું “મહારાજ! અમારી રક્ષા કરો. હું અને મારો કૂતરો ઘણા દિવસોથીભૂખ્યા છીએ. ભોજન વગરઅમારા પ્રાણ નીકળી જશે. રતિદેવેબધું ભોજન તેને આપી દીધું. રાજાની પાસે હવે થોડુંક પાણી બચ્યું હતું. રાજાએ પાણીનું પાત્ર પાણી પીવા ઉપાડ્યું એવામાં જ સાંભળ્યું કે “હે મહારાજ! હું એક નીચ કસાઈ છું. તરસને લીધે મારા પ્રાણ નીકળવાની તૈયારીમાં છે. જો આપ મને પાણી નહીં આપો તો હું મરણ પામીશ.' આટલું બોલતાં બોલતાં તે જમીન ઉપર પડી ગયો. રાજાએ એની પાસે જઈને તેને પાણી પાયું. પાણી પાતાં રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યાઃ હે પ્રભુ! જીવનની લાલસામાં વ્યાકુળ પ્રાણીના રૂપમાં આપ જ મારી સન્મુખ છો. આ જળ હું આપને જ સમર્પિત કરું છું. જળ આપતાં મારી ભૂખ, તરસ, દીનતા, ખિન્નતા, વિષાદ, મૂચ્છી આ બધું જ દુઃખ દૂર થઈ ગયું.’ અને રાજા લથડિયું ખાઈને નીચે પડી ગયા. પરંતુ એમને કોઈ કોમળ હાથોએ સંભાળી લીધા! શરીરને જરીયે વાગ્યું નહીં! એ આશ્ચર્યથી આંખો ખોલીને જોવા લાગ્યા. એમની સામે એક તેજસ્વી દેવ ઊભો હતો. તેણે કહ્યું: - ધન્ય છે મહારાજ આપને, બ્રાહ્મણ, શૂદ્ર, ચંડાળ અને કસાઈ કોઈમાં આપની ભેદબુદ્ધિ નથી. સૌમાં આપે આપનો આત્મા જ જોયો. આપની આ દિવ્ય કરુણાથી હું પ્રસન્ન છું. આપ ઇચ્છામાં આવે તે માગી લો.” ભાવવિભોર રંતિદેવના હૈયામાં દેવની વાત સાંભળીને ભાવબિંદુઓ છલકાયાં. ગદ્ગદ કંઠે તે બોલ્યા - नत्वहं कामये राज्यं न स्वर्ग नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामर्तिनाशनम् ॥ હે દેવેન્દ્ર, હું રાજ્ય, સ્વર્ગ અને પુનર્જન્મ ઇચ્છતો નથી. મને તો તમામ પ્રાણીઓનાં બધાં દુઃખ નષ્ટ કરવાની શક્તિ આપો, જેથી સર્વ જીવો દુઃખમુક્ત થઈ જાય.” કરુણા ભાવનાની આ ઉત્કટ વાત છે. એની ઉપર ચિંતન કરજો, બીજાંનાં દુખ દૂર કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરજે. આજે બસ, આટલું જ. [ કરુણા ભાવના છે. ૨૨૫]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy