SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુએ કહ્યું ઠીક છે રાજનું! માત્રચિંતા જ નહીં, પરંતુ ચિંતાનિવારણનું કારણ પણ જાણું છું.” સાધુની વાત સાંભળીને તો રાજાને જાણે ખોવાયેલા પ્રાણ પાછા. મળ્યા, રાજાએ સાધુના પગમાં પોતાનું મસ્તક મૂકીને કહ્યું : “જલદી બતાવો મહારાજ! અમે ખૂબ દુઃખી છીએ. પરંતુ સાધુએ કહ્યું : “તમારા કરતાં તમારા રાજ્યમાં લોકો વધારે દુઃખી છે. એ પણ એક-બે નહીં, હજારોની સંખ્યામાં! પરંતુ, તમારી આ ઘમંડી છોકરી એમની સેવાસહાય કરવાની તો દૂર, ઊલટાનો એમનો ઉપહાસ-મજાક કરે છે.” રાજકુમારીએ પ્રાયશ્ચિત્તના સ્વરમાં કહ્યું “મહારાજ ! હું આ માટે લજ્જિત છું. મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ !' સાધુએ કહ્યું : 'તો પછી સાંભળો ! હું એક ઔષધિ આપું છું. પંદર દિવસ રાજકુમારી એ લેપને પોતાના ચહેરા ઉપર લગાડે. પણ એક શરત છે.” “કઈ શરત? આપ બતાવો, એ શરત હું પૂર્ણ કરીશ.” “ઔષધિનો લેપ જે જળથી તૈયાર થશે તે જળ નદીકિનારે બેસનાર અંધ, લૂલા, અપાહિજ લોકોના પગનું ધોવણ હોવું જોઈએ અને એમના પગ રાજકુમારી જાતે જ ધૂએ.” - બીજા જ દિવસથી સાધુએ બતાવેલી રીતે રાજકુમારી ઔષધ ઉપચારમાં લાગી ગઈ. પંદર દિવસ પૂરા થતાં સુધીમાં તો તેનું શરીર પૂર્વવત્ થઈ ગયું. હવે એને સાધુનો ઉપદેશ સાર્થક લાગ્યો. સમજાવતાં જે સમજતી ન હતી. તે દુઃખી થઈને સમજી. ત્યારથી તેણે કોઈ પણ માણસને સતાવાનું બંધ કરી દીધું અને દીનદુઃખી લોકોની સેવા કરવામાં તત્પર બની. હવે કરુણા ભાવના'ની પ્રસ્તાવનાનો સાતમો શ્લોક સાંભળો - परदुःखप्रतीकारमेवं, ध्यायन्ति ये हृदि । लभन्ते निर्विकारं ते सुखमायतिसुंदरम् ॥ ७ ॥ આ રીતે અન્યનાં દુખોને દૂર કરવાનો ઉપાય જે માણસ પોતાના હૃદયમાં શોધે છે, તે ભવિષ્યમાં સ્વયે ઉત્તમ નિર્વિકાર સુખને પામે છે. પરદુખવિનાશિની કરુણા પ્રસ્તાવનાના ૧ થી ૬ શ્લોકમાં જે પ્રકારે દુઃખી જીવોનું વર્ણન કર્યું છે, એ જીવોનાં દુઃખ દૂર કરવાની - વિનષ્ટ કરવાની જે મનુષ્ય એના હૃદયમાં કરુણા ભાવના ભાવે છે તે માણસ ભવિષ્યમાં સ્વયં શ્રેષ્ઠ અને ઉત્તમ સુખ પામે છે. એક વાત પોતાના મનમાં નિશ્ચિત કરી લો કે કોઈ પણ જીવને દુઃખી કરવાનો વિચાર ક્ષણભર પણ કરવાનો નથી. વિચારો તો દુઃખ દૂર કરવાના જ કરવાના છે. સ્વયં દુઃખ સહન કરીને પણ બીજાનાં દુઃખો દૂર કરવાની ભાવનામાં પ્રવૃત્ત થવાનું છે. એથી તમારા મનને કરુણા ભાવના ૨૨૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy