________________
અભય સુપાત્ર અને અનુકંપા દાન-ગુણો બહુ સોહે, સુકૃતના સંચયને કરતા. દુરિત પંકને ધોએ.
ગુણીજન ! ગાવો રે પરમ પ્રમોદ વધારી...૧ શીલસનાહ ઘરે વડભાગી, મદનની ફેજ હટાવે,
નિર્વિકાર નિજગુણમાં વરતે, સુરનર તસ ગુણ ગાવે...૨ દ્વાદશવિધ તપગુણથી રાજે, મન-ઈન્દ્રિય વશ રાખે
વિવિધ લબ્ધિને તે પ્રકટાવે, જિન આગમ રસ ચાખે...૩ નિમલ ભાવ ધરી સવિ કિરિયા, સાધે ધર્મ આચાર.
શ્રદ્ધાવાસિત વ્રત અજવાળે શાસનના શણગાર...૪ સંયમ-સમિતિ-ગુપ્તિધારકચરણ-કરણ અભિરામી,
જ્ઞાનારાધક દુમતિ-બાધક, શિવસુંદરીના કામી...૫ સુકૃત અને સમતાના સાગર, સંત મુનિ ગુણવંતા,
કુશલદીપ ગુણ ગૌરવ કરતા દેવ સદા જયવંતા....૬ પ્રમોદ ભાવના'ના વિષયમાં વિવેચન આજે પૂર્ણ કરું છું. તમે બધાં પ્રમોદભાવથી તમારા અંતઃકરણને ભાવિત કરતા રહો અને શાન્તસુધારસનું અભિનવ પાન કરીને પરમ તૃપ્તિ પ્રાપ્ત કરો. એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ,
[ પ્રમોદ ભાવના
|
| ૧૯૯]