SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગ છે. આંખોને સંબોધિત કરીને એક કવિએ કહ્યું છે - વારી જાઉં આંખ ! તારા અજબ ચાતુર્યમાં, જે જોવાનું છે તે તું કોઈ દિ' જોતી નથી. સેંકડો ોજનથી શોધે કોઈકની ભૂલ-કાંકરી, પણ તારા જ વધેલા પાપના ડુંગર તું જોતી નથી. રે આંખ ! તારા ચાતુર્ય પર હું ખુશ છું. જે જોવા યોગ્ય છે તે તું જોતી નથી. પરંતુ હજારો યોજન દૂરથી કોઈના કાંકરી જેવડા દોષને ય જોઈ લે છે. વાહ ! તારા પોતાના પાપોના પહાડને તું જોતી નથી. બીજાંની ઈર્ષ્યા-દ્વેષ કરનારાઓ, મત્સર અને પરિવાદ કરનારાઓને પૂછો કે એ શું સર્વગુણ સંપન્ન છે ? તેમના જીવનમાં દોષો, ભૂલો નથી ? પોતાની અંદર પાપોની મોટી ગટરો વહે છે, એ જોતા નથી અને બીજાંનાં સુખોની, ગુણોની, યશની, ઈર્ષ્યા કરે છે. આ બળતરા ક્યાં સુધી યોગ્ય છે ? જે કોઈને જે કંઈ સારું, સુંદર અને ભવ્ય મળે છે તે તેના જ પુણ્યકર્મના ઉદયથી. મળે છે. એના પ્રત્યે પ્રમોદભાવ રાખવાનો છે. दिष्ट्यायं वितरति बहुदानं वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरिभागं यद्विभजसि तत्सुकृतविभागम् ॥ २ ॥ કેટલું સરસ છે, કોઈ ભાગ્યશાળી દાન આપે છે અને દુનિયામાં એની વાહવાહ થાય છે. અન્યના ઉત્કૃષ્ટ ભાગ્ય માટે એવા પરસુખસંતુષ્ટિના વિચાર કેમ નથી કરતો ? પરસુખસંતુષ્ટિથી તને પણ એના સુકૃતમાં ભાગ મળી શકે છે. પરસુખ સંતુષ્ટ બનો : નિરંતર સુખ પામવાની, નિરંતર મનને પ્રસન્ન રાખવાની આ દિવ્ય કલા છે. બીજાંનાં સુખ જોઈને પ્રસન્ન રહેવું. આ દુનિયામાં સુખી જીવોની ભરપૂરતા છે. જોવાની આપણી દૃષ્ટિ જોઈએ. તમારી દૃષ્ટિમાં સૌન્દર્યનું અંજન જોઈએ. સારાપણાનું કાજળ જોઈએ. એક કવિએ કહ્યું છે - સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં, ત્યારે અગોચર કોઈ ખૂણે પ્રમોદ ભાવના ૧૯૧
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy