________________
કરનારા અને સમભાવમાં ઉપસર્ગોને સહન કરનાર કેટલાક શ્રેષ્ઠ મુનિવરોનાં દ્રષ્ટાંત બતાવ્યાં. જ્ઞાની શાસનપ્રભાવક-શ્રુતધર આચાર્ય
येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः । शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥ ગ્રંથકાર એ મહાનુભાવો પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કરે છે કે જે જ્ઞાની છે. શ્રુતજ્ઞાનથી જેમની પ્રજ્ઞા પવિત્ર બની છે, જે લોકો ધર્મોપદેશ આપીને જિનશાસન વધારે છે. જે શાન્ત-પ્રશાન્ત છે, મન અને ઈન્દ્રિયોના વિજેતા છે. પૂર્વકાળમાં જે મહાન આચાર્યો થઈ ગયા એમાંથી કેટલાક આચાદવોનો પરિચય આપું છું. બૂકુમાર - અંતિમ કેવલીઃ વિર નિવસિ પૂર્વે ૧૬ વર્ષે જંબૂકુમારનો જન્મ રાજગૃહીમાં થયો હતો. પિતાનું નામ ઋષભદત્ત અને માતાનું નામ હતું ધારિણી. ૧૬ વર્ષની ઉંમરે તેમણે ગણધરશ્રી સુધમસ્વિામી પાસેથી બોધ પ્રાપ્ત કર્યો. તેમણે આઠ પત્નીઓને પણ પ્રતિબુદ્ધ કરી. બધી દીક્ષા લેવા માટે તૈયાર થઈ. રાત્રિના સમયે પ્રભવ’ નામનો ચોર ૪૯૯ સાથી. ચોરોની સાથે ચોરી કરવા આવ્યો. એ બધાંને જંબૂકમારે પ્રતિબદ્ધ કર્યા. એ ૫૦૦ જણા દીક્ષા લેવા તૈયાર થયા.
૧૬ વર્ષની ઉંમરમાં, વીર સંવત ૧માં એ બધાંએ ચારિત્રધર્મ ગ્રહણ ક્ય. જંબૂસ્વામી કેવળજ્ઞાની બનીને મોક્ષે ગયા. એ અંતિમ કેવળજ્ઞાની થયા. માતાપિતાએ પણ પુત્રની સાથે જ ચારિત્ર સ્વીકારી લીધું હતું. એમને ભાવપૂર્વક વંદના કરો, એમના ગુણોની અનુમોદના કરો. શÀભવસૂરિજી:
વીર સંવત ૩પમાં રાજગૃહીમાં શäભવ ભટ્ટનો જન્મ થયો હતો, યુવાનીમાં આવ્યા અને સારા વિદ્વાન બન્યા હતા. આ બાજુ જંબૂસ્વામીના ઉત્તરાધિકારી પ્રભવસ્વામી પોતાના ઉત્તરાધિકારીની શોધમાં હતા. તેમણે પોતાની જ્ઞાનદ્રષ્ટિથી જોયું. પોતાના સાધુસમુદાયમાં કોઈ સાધુ ઉત્તરાધિકારી બનવા માટે લાયક જોયો નહીં. તેમણે જ્ઞાનદ્રષ્ટિથી બ્રાહ્મણ સમાજમાં જોયું. યજ્ઞમંડપમાં બેઠેલા શયંભવ ભટ્ટને જોયા. એ ઉત્તરાધિકારીના રૂપમાં તેમને યોગ્ય લાગ્યા.
તેમણે તરત જ બે પ્રજ્ઞાવંત સાધુઓને યજ્ઞમંડપના દ્વાર ઉપર મોકલ્યા. ગુરુદેવના નિર્દેશ અનુસાર તેઓ તારસ્વરમાં બોલ્યા -
अहो कष्टं अहो कष्टं ! तत्त्वं न ज्ञायते परम् । [૧૬૦ Lu
... શાન્તસુધારસઃ ભાગ ૩]
૧૬૦