________________
सप्ताधोऽधो विस्तृता याः पृथिव्यः छत्राकाराः सन्ति रत्नप्रभाद्याः । . ताभिः पूर्णो योऽस्त्यधोलोकः एतौ
पादौ यस्य व्यायती सप्तरज्जुः ॥ १ ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'માં અગિયારમી ભાવના લોકસ્વરૂપ'નો પ્રારંભ કરતાં કહે છે
એકબીજાની નીચે આવેલી અત્યંત વિસ્તૃત છત્રાકારે જે રત્નપ્રભા વગેરે ભૂમિઓ છે. એમનાથી અધોલોક વ્યાપ્ત છે. લોકપરૂપના બે પહોળા પગની નીચે સાત રાજલોક જેટલી જગ્યામાં એ નરકભૂમિઓ સ્થિત છે.” ભાવનાઃ
વિશ્વ વિરાટ છે! ચૌદ રાજલોકની દુનિયા કેટલી વિશાળ છે! સૌથી પ્રથમ જ્યારે બૃહત્સંગ્રહણી' ગ્રંથમાં આ વિરાટ વિશ્વનું શાસ્ત્રવૃષ્ટિએ દર્શન કર્યું ત્યારે આશ્ચર્ય અને કુતૂહલથી મારી આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી. અધોલોકમાં સ્થિત સાત નરક જોઈ, એ નરકોની અને નરકવાસીઓની રચનાઓ જોઈ, ગજબ છે એ રચના. એમાં વસેલા અસંખ્ય જીવાત્માઓને જોયા. તેમને ત્યાં જે કષ્ટો સહન કરવો પડે છે, જે દારણ વેદનાઓ સહન કરવી પડે છે, એ જોઈ... જોઈને હૃદય દયા અને કરુણાથી ભરાઈ આવ્યું. જો મારું ચાલે તો આ નરકઆવાસોને તોડી-ફોડી નાખીને એ તમામ જીવોને મુક્ત કરી દઉં દુઃખ, ત્રાસ અને વેદનાથી બચાવી લઉં. પરંતુ મેં જાણ્યું કે જીવોએ પોતે કરેલાં ઘોર કર્મોનાં ફળ ત્યાં ભોગવવાં જ પડે છે.
સાત નરકોની ઉપર વ્યંતરદેવ અને વાણવ્યંતર દેવોની વિશાળ નગરીઓ જોઈ, અત્યંત રંગરાગ અને ભરપૂર સુખભોગમાં કરોડો વર્ષોનાં આયુષ્ય વિતાવી દેનાર એ દેવદેવીઓને જોઈ અને મધ્યલોકમાં આવેલા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો પણ જોયા. પહેલો હીપ જોયો જંબૂઢીપ અને અંતિમ સમુદ્ર જોયો સ્વયંભૂરમણ સમુદ્ર! મધ્યલોકમાં તીર્થકર ભગવંતોને સદેહે વિચરતા જોયા; ચક્રવર્તી અને વાસુદેવોને પણ જોયા, રોગ, શોક અને દારિદ્રયથી અતિ દુઃખી થઈ ગયેલા જીવોને જોયા; તો સુખવૈભવમાં રાચતા જીવોને ય જોયા. મરીને નરકમાં જતા જીવોને જોયા અને નિવણિ પ્રાપ્ત કરીને મોક્ષમાં જનારા જીવોને ય જોયા, ઘણું બધું જોયું. ઉપર જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ જોવા મળ્યા. સમગ્ર જ્યોતિષ દેવલોકમાં પરિભ્રમણ કર્યું. આ દેવોની દુનિયા ખૂબ નિરાળી છે.
ઊર્ધ્વલોકના બાર દેવલોક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવલોકની દિવ્ય સૃષ્ટિની તો વાત જ શું કરું? કેટલી વાતો કરું? શ્રેષ્ઠ ભૌતિક સુખોથી એ દુનિયા | લોકસ્વરૂપ ભાવના .
૩]