________________
धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोर्पार्जितार्हन्त्यलक्ष्मीम् ॥१॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'માં પ્રમોદ ભાવનાનો મંગલ પ્રારંભ કરતાં સૌથી પ્રથમ વીતરાગ પરમાત્માના ગુણોની સ્તુતિ કરે છે.
પ્રમોદ ગુણ પક્ષપાત. આ પરિભાષા યાદ રાખજો. પ્રમોદ ભાવનાના ગુણકીર્તનની જ ભાવના છે. આમ તો પ્રમોદ ભાવનાની બીજી પરિભાષા પણ આવી જ છે 'પરસુષ્ટિવિતા - બીજાંનાં સુખ જોઈને આનંદિત થવું, સંતુષ્ટ થવું એ પ્રમોદ-મુદિતા ભાવના છે. આ બે પરિભાષાઓના આધારે પ્રમોદભાવની આપણે વિવેચના કરશું. વીતરાગ પરમાત્મા
ધન્ય ધન્ય વીતરાગ પરમાત્મા !” ક્ષપક શ્રેણીના માર્ગ ઉપર ચાલીને એમણે કર્મ-મળને ધોઈ નાખ્યો છે. તે વીતરાગ પ્રભુ ત્રણે લોકમાં ગંધહસ્તિ સમાન છે. એમનામાં સહજતયા સ્થિત જ્ઞાનથી વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો અને પૂર્ણિમાના ચંદ્રની કળાની જેમ નિર્મળ ધ્યાનધારામાં આત્મશુદ્ધિ કરી. આત્મશુદ્ધિ દ્વારા આરોહણ કરીને સેંકડો સુકૃતોનું સેવન કરીને અરિહંત પદની શ્રેષ્ઠ શોભા પ્રાપ્ત કરી અને મુક્તિના સાનિધ્યમાં પહોંચી ગયા. तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै
यं गायं पुनीम स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमौरवर्यमग्नाम् ॥ २॥ “કર્મક્ષય થયો, અનેક ગુણો ઉત્પન્ન થયા, નિર્મળ સ્વભાવ દ્વારા એ ગુણોનું વારંવાર ગાન કરતાં આપણે આપણા આઠે ઉચ્ચારોને પવિત્ર કરીએ. પરમાત્માના સ્તોત્રોનું ગાન કરનારી જીભ જ ભક્તિરસને જાણે છે. બાકી, ફાલતું ગપસપ અને પારકી પંચાયત કરનારી જીભ રસજ્ઞ બની શકતી નથી એવું હું (ગ્રંથકાર) માનું છું.” પરમાત્મ ગુણોમાં પ્રમોદઃ
ગ્રંથકાર ઉપાધ્યાયજીએ બે સ્ત્રગ્ધરા છંદમાં પરમાત્મ ગુણો પ્રત્યે પ્રમોદ ભાવના ભાવી છે ગુળપક્ષપતિ પ્રમોદ - ગુણોનો પક્ષપાત જ પ્રમોદ ભાવના છે. સર્વશ્રેષ્ઠ
પ્રમોદ ભાવના
૧૫૩]