SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અડધી ઉંમર વીત્યા પછી રાજકુમારનો જન્મ થયો હતો, એટલે તે ખૂબ લાડકોડમાં ઊછર્યો હતો. ધીરેધીરે રાજકુમારમાં અપલક્ષણો પ્રવેશી ગયાં. એક જ પુત્ર હતો. ઠાકોર તો મૌન થઈ ગયા. રાણીજીના પુત્ર ઉપર ચારે હાથ હતા, “મારા પુત્રને સૌની વચ્ચે મારનાર એ રામલાને મારી સામે જ મારી નાખો. શરીર ઉપરથી મસ્તક જુદું કરો.” રાજાએ આશ્વાસન આપ્યું અને કહ્યું “આજે આઠમ છે, કોઈના પ્રાણ ન લેવાય, કાલે વાત.' બીજે દિવસે રાજસભા ભરવામાં આવી. દરબારે એક તલવાર મંગાવી અને પોતાની નવી પાઘડી પણ મંગાવી. રામ અને એના પિતા કાળા પગીને બોલાવવામાં આવ્યા. લોકો સમજતા હતા કે પિતાપુત્ર બંનેને આજે દરબાર મારી નાખશે. પરંતુ એ સૌને આશ્ચર્ય થયું, જ્યારે કાળા પગીને ઠાકોરે પાઘડી બંધાવી અને રામની ભેટમાં તલવાર ભરાવી. દરબારે રામલાની પીઠ થાબડી, એના માથે હાથ ફેરવ્યો અને કહ્યું “શાબાશ રામ! તેંધર્મને માટે પોતાનું મસ્તક કસોટી પર ચડાવ્યું. ધર્મની સાથે ખેલ કરનાર દરબારના પુત્રને તેંબોધપાઠ આપ્યો ! ધન્ય છે તને! મેં તને તલવાર વિશ્વાસથી બાંધી છે. જ્યારે પણ ગામ ઉપર આફત આવે તો તે ગામની રક્ષા કરજે.” - જ્યારે રામ અને તેના પિતા મોતના દરવાજામાંથી સુરક્ષિત પાછા ફરે છે ત્યારે આખું ગામ હર્ષથી નાચવા લાગે છે. બધાં જ બાપુની પ્રશંસા કરવા લાગ્યાં. રામને ધન્યવાદ આપવા લાગ્યાં. ઠાકોરની પોતાના પુત્ર પ્રત્યે આ મૈત્રી હતી! ઠાકોરને કુમારના હિતની ચિંતા હતી. એની ઉદ્ધતાઈ, પ્રજા સાથે દુર્વ્યવહાર અને અનાથોને સતાવવાની દુષ્ટ પ્રવૃત્તિથી ઠાકોર ચિંતિત હતા. આજે રામે કુમારને પાઠ ભણાવ્યો હતો. એનાથી એ પ્રસન્ન હતા. તેમને લાગ્યું કે હવે કુમાર સુધરી જશે. ગ્રામજનોથી ડરશે. એને સ્વજન મૈત્રી કહે છે. ત્યાર પછી તો રામે પણ ઉપકાર મૈત્રીનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. એ જાણતો હતો કે “ઠાકોરે મારો વધ ન કરતાં મારું સન્માન કર્યું છે. મારો અપરાધ ક્ષમ્ય ગણીને નવું જીવન આપ્યું છે. ઉપકારનો બદલો મારે ચૂકવવો પડશે.” અને એ સમય આવી પણ ગયો. પરંતુ એ વાત કહેતા પહેલાં ઠાકોર અને ઠકરાણી વચ્ચે જે સંવાદ થયો તે રોચક છે. જ્યારે ઠાકોર ભોજન કરવા ઘરમાં ગયા ત્યારે તેમનાં રાણી ક્રોધાયમાન હતાં. તેમણે ઉગ્ર સ્વરમાં કહ્યું “છોકરાને મારનારને એમ સજા કર્યા વગર જવા દીધો, એ તો ઠીક, પરંતુ એને તલવાર પણ બંધાવી? શા માટે? હજુ પણ કુમાર જો કોઈ ભૂલ કરે તો તેનું માથું કાપવા માટે જ ને?” | મૈત્રી ભાવના ૧૨૧
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy