________________
एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पंचेन्द्रियत्याद्यधिगत्य सम्यक् । बोधिं समाराध्य कदा लभन्ते, भूयोभवभ्रान्तिभियां विरामम् ॥ ४॥ या रागद्वेषादिरुजो जनानां शाम्यन्तु वाक्कायमनोदुहस्तुः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥ ५ ॥ એકેન્દ્રિયાદિ જીવો પણ પંચેન્દ્રિયત્વ પ્રાપ્ત કરીને સુંદર રીતે બોધિધર્મની આરાધના કરીને, ભવભ્રમણની ભીતિથી ક્યારે મુક્ત થશે ?' આવી ભાવના
ભાવતા રહો. | પ્રાણીઓનાં મન-વચન-કાયાને અશુભ પ્રવાહમાં ભરપૂર ખેંચનાર રાગદ્વેષ
વગેરે વ્યાધિઓ – બીમારીઓ શાન્ત થઈ જાઓ. સર્વે પ્રાણી ઉદાસીન ભાવના રસાસ્વાદને પ્રાપ્ત કરો. સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ. સર્વે જીવો ભવભ્રમણના ભયથી મુક્ત થાઓઃ
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો....ક્યારે તે પંચેન્દ્રિયત્ન પ્રાપ્ત કરશે?” ક્યારે આદિશમાં મનુષ્યત્વ પ્રાપ્ત કરશે? ક્યારે તેઓ અનુકૂળ પરિવાર, નીરોગી દેહ, વિશુદ્ધ દેવ-ગુરનો સંયોગ પ્રાપ્ત કરશે ? ક્યારે તેઓ “બોધિધર્મની આરાધના કરશે અને ભવભ્રમણના ભયથી મુક્ત બનશે?” બીજા જીવો માટે આવી ઉન્નતિની ભાવના ભાવવાની છે, ત્યારે જ સર્વ જીવોની સાચા અર્થમાં હિતચિંતા કરી કહેવાય.
આ પારમાર્થિક મૈત્રીની વાત છે. આ આધ્યાત્મિક મૈત્રીની વાત છે. જ્ઞાની પુરષોનો આ નિર્ણય છે કે જીવ જ્યાં સુધી રાગદ્વેષ અને સુખદુઃખનાં દ્વન્દ્રોની ઉપર જઈને ઉદાસીન ભાવનાનો રસાનુભવ ન કરે, ત્યાં સુધી એ સુખી થતો નથી. આધ્યાત્મિક ઉત્થાન થાય છે બોધિધર્મની પ્રાપ્તિથી! શ્રદ્ધાથી ! દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. સર્વજીવ આવો બોધિધર્મપ્રાપ્ત કરે તો?એમનું ભવભ્રમણ સીમિત થઈ જાય અને તે નિર્ભય બની જાય! તમે સ્વયે પ્રબુદ્ધ બન્યા છો?
પ્રથમ વાત તો એ છે કે જે વાત મનુષ્યને પોતાને પ્રિય હોય, એ વાત એ બીજાં માટે પણ ઈચ્છી શકે છે. બોધિધર્મની આરાધના કરીને તમે જાતે જ ભવભ્રમણના ભયથી મુક્ત બન્યા છો? તમારો અંતરાત્મા મુક્તિના આનંદનો અનુભવ કરે છે ખરો? તો તમે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે આ ભાવના ભાવી શકો કે સર્વ જીવો બોધિધર્મ પ્રાપ્ત કરીને, ભવભ્રમણના ભયથી મુક્ત થઈ જાય અને મારી માફક પરમાનંદનો અનુભવ કરે !
[મૈત્રી ભાવના
૧૧૫ |