SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ એ વ્યર્થ વાદવિવાદ નથી કરતો, પરનિંદા નથી કરતો, તીવ્ર રાંગદ્વેષ કરતો નથી. એ શાન્ત, દાન્ત (ઇન્દ્રિયોનું દમન કરનાર) અને રૂપવાન હોય છે. એ સ્યાદ્વાદ-અનેકાન્તવાદ સમજે છે અને એનાથી એ ધર્મનો મર્મ પામે છે. કુમતિ-કદાગ્રહ છોડી દે છે...ત્યારે જ તે જિનધર્મને સાચા સ્વરૂપમાં ઓળખે છે. # આત્મસ્વરૂપનું ચિંતન કરતાં એ આત્માને સાપેક્ષવૃષ્ટિથી... અનેકાન્ત દૃષ્ટિથી... – નિત્ય-અનિત્ય – એક-અનેક – કર્તા-અકર્તા – ભોગી-અભોગી – યોગી-અયોગી – સંસારી-સિદ્ધ માને છે. આમ તો આ કાવ્ય મોટું છે, પરંતુ જેટલું સંભળાવવું હતું, તેટલું સંભળાવ્યું અને સમજાવી દીધું. ૧૦ પ્રકારનાં સમ્યક્ત્વો: રાજગૃહીમાં આચાર્ય મુનિચંદ્રસૂરિજી પધાર્યા હતા. રાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમારની સાથે દર્શન-વંદન ક૨વા ગયા અને ઉપદેશ સાંભળવા બેસી ગયા. આચાર્યદેવે ઉપદેશમાં કહ્યું : ‘હે ભવ્ય જીવો ! જે રીતે ન્યગ્રોધ વૃક્ષનું પુષ્ય અને સ્વાતિ નક્ષત્રનું પાણી દુર્લભ હોય છે, એ રીતે માનવજન્મ અને જિનશાસનની પ્રાપ્તિ દુર્લભ હોય છે. એમાં પણ કલ્પવૃક્ષ, પારસમણિ અને દક્ષિણાવર્ત શંખની જેમ આંતરિક તત્ત્વશ્રદ્ધાન અતિ દુર્લભ હોય છે. સંસારસાગરના કિનારાની જેમ સમ્યક્ત્વ - બોધિ, શ્રી જિનેશ્વરદેવોએ નિસર્ગાદિ દશ પ્રકારના ગણાવ્યા છે निसग्गुवएसरुई आणरुई सुत्तबीजरुइमेव । અભિગમ-વિસ્થાડું, વિાસંણેવ ધમ્મતું | : નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચ, સૂત્રરુચિ, બીરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ અને ધર્મચિ - આ રીતે સમ્યક્ત્વના ૧૦ પ્રકારો છે. હવે સંક્ષેપમાં એક-એક સમ્યક્ત્વ સમજાવું. -- ૧. નિસર્ગચિ ઃ જિનેશ્વરોએ કહેલાં તત્ત્વોને જે સ્વભાવથી માને છે અને એમની ઉપર શ્રદ્ધા રાખે છે. ૨. ઉપદેશચિ : ગુરુના ઉપદેશથી જે બુદ્ધિમાન પુરુષ નિર્દોષ ધર્મમાર્ગ ઉપર શ્રદ્ધા રાખે છે. ૩. આજ્ઞારુચિ રાગદ્વેષ અનેમોહના ક્ષયથી નવતત્ત્વોનેજિનાજ્ઞાના બળથી માને છે. બોધિદુર્લભ ભાવના ૯૯
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy