________________
એ વ્યર્થ વાદવિવાદ નથી કરતો, પરનિંદા નથી કરતો, તીવ્ર રાંગદ્વેષ કરતો નથી. એ શાન્ત, દાન્ત (ઇન્દ્રિયોનું દમન કરનાર) અને રૂપવાન હોય છે.
એ સ્યાદ્વાદ-અનેકાન્તવાદ સમજે છે અને એનાથી એ ધર્મનો મર્મ પામે છે. કુમતિ-કદાગ્રહ છોડી દે છે...ત્યારે જ તે જિનધર્મને સાચા સ્વરૂપમાં ઓળખે છે. # આત્મસ્વરૂપનું ચિંતન કરતાં એ આત્માને સાપેક્ષવૃષ્ટિથી... અનેકાન્ત દૃષ્ટિથી...
– નિત્ય-અનિત્ય
– એક-અનેક
– કર્તા-અકર્તા
– ભોગી-અભોગી
– યોગી-અયોગી
– સંસારી-સિદ્ધ
માને છે.
આમ તો આ કાવ્ય મોટું છે, પરંતુ જેટલું સંભળાવવું હતું, તેટલું સંભળાવ્યું અને સમજાવી દીધું.
૧૦ પ્રકારનાં સમ્યક્ત્વો:
રાજગૃહીમાં આચાર્ય મુનિચંદ્રસૂરિજી પધાર્યા હતા. રાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમારની સાથે દર્શન-વંદન ક૨વા ગયા અને ઉપદેશ સાંભળવા બેસી ગયા. આચાર્યદેવે ઉપદેશમાં કહ્યું : ‘હે ભવ્ય જીવો ! જે રીતે ન્યગ્રોધ વૃક્ષનું પુષ્ય અને સ્વાતિ નક્ષત્રનું પાણી દુર્લભ હોય છે, એ રીતે માનવજન્મ અને જિનશાસનની પ્રાપ્તિ દુર્લભ હોય છે. એમાં પણ કલ્પવૃક્ષ, પારસમણિ અને દક્ષિણાવર્ત શંખની જેમ આંતરિક તત્ત્વશ્રદ્ધાન અતિ દુર્લભ હોય છે. સંસારસાગરના કિનારાની જેમ સમ્યક્ત્વ - બોધિ, શ્રી જિનેશ્વરદેવોએ નિસર્ગાદિ દશ પ્રકારના ગણાવ્યા છે निसग्गुवएसरुई आणरुई सुत्तबीजरुइमेव । અભિગમ-વિસ્થાડું, વિાસંણેવ ધમ્મતું |
:
નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચ, સૂત્રરુચિ, બીરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ અને ધર્મચિ - આ રીતે સમ્યક્ત્વના ૧૦ પ્રકારો છે. હવે સંક્ષેપમાં એક-એક સમ્યક્ત્વ સમજાવું.
--
૧. નિસર્ગચિ ઃ જિનેશ્વરોએ કહેલાં તત્ત્વોને જે સ્વભાવથી માને છે અને એમની ઉપર શ્રદ્ધા રાખે છે.
૨. ઉપદેશચિ : ગુરુના ઉપદેશથી જે બુદ્ધિમાન પુરુષ નિર્દોષ ધર્મમાર્ગ ઉપર શ્રદ્ધા રાખે છે.
૩. આજ્ઞારુચિ રાગદ્વેષ અનેમોહના ક્ષયથી નવતત્ત્વોનેજિનાજ્ઞાના બળથી માને છે.
બોધિદુર્લભ ભાવના
૯૯