________________
રાણીવાસમાં મંદોદરી જેવી રાણીઓ હોવા છતાં પણ રાવણની મૈથુન સંજ્ઞાએ સીતાનું અપહરણ કરાવ્યું. સીતા વગર એ પ્રતિવાસુદેવ તડપવા લાગ્યો. મૈથુન સંજ્ઞાએ એને દીન-હીન બનાવી દીધો. ક્યાંથી ધર્મજિજ્ઞાસા પેદા થઈ શકે? પરિગ્રહ સંજ્ઞાથી ધમજિજ્ઞાસા નહીં:
પરિગ્રહ અથતિ મૂચ્છ ગૃદ્ધિ, આસક્તિ. એનું ફળ છે અસંતોષ. ત્રિભુવનને પોતાની આંગળીને ઈશારે નચાવનારી આ પરિગ્રહ સંજ્ઞાને ઉપશાંત કર્યા વગર જીવાત્મા માટે સુખશાંતિ અસંભવ છે. સગર ચક્રવર્તીને કેટલા પુત્રો હતા? કુચિકર્ણ પાસે કેટલી ગાયો હતી? તિલક શ્રેષ્ઠીના ભંડારમાં કેટલું અનાજ હતું?મગધ સમ્રાટ નંદરાજા પાસે કેટલું સુવર્ણ હતું?તો પણ એમને તૃપ્તિ ક્યાં હતી? માનસિક શાન્તિ ક્યાં હતી? ધર્મજિજ્ઞાસા, ધર્મચિંતન ક્યાં હતું?
આમ તો પરિગ્રહ સંજ્ઞા, દ્રવ્યોપાર્જન, એનું યથોચિત સંરક્ષણ અને સંવર્ધન કરાવવાની પ્રવૃત્તિ કરે છે. એનાથી પરપદાર્થો પ્રત્યે મમત્વ દ્રઢ થતું જાય છે. તામસભાવ અને રાજસભાવમાં એકદમ વધારો થઈ જાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે -
હોવાનુ પર્વત પ્રાન્તિ કહે : - પરિગ્રહ સંજ્ઞાને કારણે પર્વત જેવડા ગંભીર દોષો પેદા થાય છે. પરિગ્રહ સંજ્ઞાથી આવર્જિત મનુષ્ય પિતાની હત્યા કરવામાં પણ કચવાટ અનુભવતો નથી. સદ્ગુરુ અને પરમાત્માની અવગણના કરવામાંથી પણ પાછો પડતો નથી. મુનિહત્યા કરવામાં પણ ગભરાતો નથી.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
આ પરિગ્રહ નામનો કયો ગ્રહ છે કે જેણે ઊર્ધ્વલોક, મધ્યમલોક અને અધોલોકને વિડંબિત - ત્રસ્ત કર્યો છે?
આ રીતે ચાર પ્રકારની સંજ્ઞાઓની પીડામાં પરેશાન થતું આ વિશ્વ વિચિત્ર સ્થિતિનો શિકાર બની જાય છે.
આ ભાવનાના શેષ ચાર શ્લોકોનું વિવેચન આગળ ઉપર કરીશું. આજે બસ, આટલું જ.
[ બોધિદુર્લભ ભાવનાથી
,
૮૯ ],