________________
દેશ આર્ય હો યા અનાર્ય હો, કુલ સુકુળ હોય યા અનાર્ય હોય, આ ચાર સંજ્ઞાઓ દરેકને હોય છે. કોઈને વધુ તો કોઈને ઓછી. વાસ્તવમાં સમજવું કે ખાવાની ઇચ્છા થવી એ સંજ્ઞા નથી. ભય લાગવો એ સંજ્ઞા નથી, મૈથુનની ઈચ્છા થવી, પરિગ્રહની ઇચ્છા થવી એ સંજ્ઞા નથી. ઈચ્છા જ્યારે પ્રબળ બને છે, વારંવાર થાય છે, એના વગર કશું પસંદ પડતું નથી, ત્યારે તે ‘સંજ્ઞા’ બને છે. આહારસંશા - કંડરિક મુનિનું પતન?
ધર્મગ્રંથોમાં પુંડરિક-કંડરિક બે ભાઈ - રાજકુમારોની વાત આવે છે. કદાચ તમે લોકોએ સાંભળી પણ હશે. કંડરિક સાધુ બન્યો હતો. અતિશય તપશ્ચર્યા કરતાં કરતાં એનું શરીર રોગગ્રસ્ત બની ગયું હતું. રાજા પુંડરિકે ગુરુદેવ પાસે અનુજ્ઞા લઈને કંડરિક મુનિને પોતાના મહેલમાં એક ખૂણામાં નિવાસ કરાવ્યો, વૈદ્યોનો ઉપચાર શરૂ કરાવ્યો. રોગ દૂર થતાં શરીરની અશક્તિ દૂર કરવાની દવા અને અનુપાન આપવા લાગ્યા. ખાવાપીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. કંડરિક મુનિનું શરીર સ્વસ્થ થવા લાગ્યું, છતાં પણ તે વિહાર કરવાની વાત કરતા ન હતા. આહાર હવે અનુપાન માત્ર ન રહેતાં તે ‘સંજ્ઞા' બની જાય છે. શરીરને પુષ્ટ કરનારા ભોજ્ય પદાર્થોમાં કંડરિક મુનિનું મન લુબ્ધ બની ગયું હતું. પુંડરિકના સમજાવવાથી ત્યાંથી વિહાર તો કર્યો, પરંતુ મન તો મહેલના શ્રેષ્ઠ મનભાવતા આહારમાં જ હતું.
પરિણામ શું આવ્યું તે જાણો છો? કંડરિકે દીક્ષા છોડી દીધી! પરંતુ જ્યારે રાજા પંડરિકે આ વાત જાણી, તો તેમણે દિક્ષા લઈ લીધી. એક ભાઈ સાધુપદ છોડીને સંસારી બની ગયો. બીજો ભાઈ સંસારીમાંથી સાધુ બની ગયો !
કંડરિકે રાજમહેલમાં આવીને પોતાનાં પ્રિય ભોજનો ક્યાં. તેણે ખૂબ ખાધું. પરસ ભોજનો ખાઈખાઈને એ અજીર્ણનો રોગી બની ગયો. આર્તધ્યાનરૌદ્રધ્યાનમાં મરીને નરકમાં ઉત્પન્ન થયો. આહારસંશાએ એનો સંયમધર્મ છોડાવી દીધો. મનુષ્ય-જન્મ વ્યર્થ ગુમાવી દીધો અને નરકમાં પહોંચી ગયો. તો પછી એને, આહારસંજ્ઞામાં મગ્ન જીવને ધર્મતત્ત્વની જિજ્ઞાસા કેવી રીતે થઈ શકે? એ તો પ્રિય ખાદ્ય પદાર્થોનું જ ચિંતન કરતો રહે છે, એની જ વાતો કરતો રહે છે. ધર્મતત્ત્વની વાતો એને પ્રિય લાગતી નથી. ભયસંજ્ઞાથી મનની ચંચળતાઃ
ભય કોઈ એક વાતનો નથી હોતો. મનુષ્યને સંસારમાં અનેક વાતોનો ભય હોય છે. કેટલાંક દ્રષ્ટાંતો - ૧
શરીરમાં કોઈ મહાવ્યાધિનો ભય. - ધનચોરીનો ભય. [ બોધિદુર્લભ ભાવના
. છે [ ૮૭]