SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા પછી મને કહેજો કે પરમાત્મભાવની વાસના જાગી કે નહીં? એક વાર વાસનાને જાગવા દો ! પછી તે દૃઢ થતી જાય છે. ચિંતન તો કરવાનું જ છે. ભેદ-જ્ઞાનનું ચિંતન ક૨વાનું છે. અધ્યાત્મમાર્ગમાં આ ચિંતન અનિવાર્ય છે. આ ચિંતનથી વિષયવાસના શિથિલ થઈ જશે. પુદ્ગલિક વિષય - અભિનિવેશ - દુરાગ્રહ છૂટી જશે. મારે એવા જ શબ્દ-રૂપ-૨સાદિ જોઈએ' એવો દુરાગ્રહ ન રાખવો. આત્મજ્ઞાની અંતરાત્માને પોતાના ગુણોનું પણ અભિમાન રહેતું નથી, તો પછી આત્મજ્ઞાની અંતરાત્માને વિષયોનો, પુદ્ગલોનો આગ્રહ તો કેવી રીતે રહી શકે ? અભિનિવેશ પુદ્ગલ વિષય જ્ઞાની હું કહા હોત ? ગુણ કો ભી મદ મિટ ગયો, પ્રકટત સહજ ઉદ્યોત. એકત્વ ભાવનાથી જ સમતાસુખ : પ્રતિદિન એકત્વ ભાવનાનું ચિંતન કરતા રહો. ચિત્ત સમતાસુખનો અનુભવ કરશે. આ દૃષ્ટિએ આત્માના એકત્વનું વિસ્તારથી વિવેચન કર્યું છે - નિશ્ચય દૃષ્ટિથી સમજાવ્યું છે અને વ્યવહાર દૃષ્ટિથી પણ સમજાવ્યું છે. પંડિતજી સકલચંદ્રજીએ ‘એકત્વ ભાવના’ને ભાવવાહી કાવ્યમાં પ્રવાહિત કરી છે. એ કાવ્યનું ગાન કરીને ‘એકત્વ ભાવના’ ૫૨ કંઈક ચિંતન કરીને એનું વિવેચન પૂર્ણ કરીશું. એ તું હિ આપકું તું હિ ધ્યાઓજી, ધ્યાન માંહી અકેલા, જિહાં તિહાં તું જાયા અકેલા, જાવેગા ભી અકેલા...... ૧ હરિહર પ્રમુખા સુરનર જાયા, તે ભી જગે અકેલા, તે સંસાર વિવિધ પર ખેલી, ગયા તે ભી અકેલા.....૨ કુછ ભી લીના સાથ ન તેણે, ઋદ્ધિ ગઈ નવિ સાથે, નિજ નિજ કરણી લે ગયે તે, ધન બિન ઠાલે હાથે.....૩ બહુ પરિવારે ન રાચો, લાગો, મુધા મલ્યો સહુ સાથો, ઋદ્ધિ મુધા હોશે સબ ચિંતા, ગગન તણી જિમ બાથો.......૪ શાન્તસુધારસ મેં ઝીલો વિષય-વિષ પંચ નિવારો, એકપણું શુભ ભાવે, ચિંતી, આપ આપકું તારો....... હિંસાદિક પાપે એ જીવો, પામે બહુવિધ રોગો, જલવિણ જિમ માછો અકેલો પામે દુઃખ પરલોગો....... એકપણું ભાવી નેમિરાજા, મૂકી મિથિલા રાજો, મૂકી નરનારી સવિસંગત, પ્રણમે તસ સુરરાજ......૭ એકત્વ ભાવના ૨૩
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy