________________
અપહરણ કરી લીધું. તે સહેજ પણ આત્મહિત ન કરી શક્યા...જીવન આયુષ્ય...યૌવન ચંચળ છે. આરોગ્ય પણ ચંચળ છે. આપણે આળસ ન કરવી જોઈએ. સ્વજનોના મોહને-મમત્વને ઊખેડી નાખવો જોઈએ. મમત્વનાં બંધનોને તત્કાલ તોડી નાખવાં જોઈએ. આજે કાકા ચાલી નીકળ્યા, કાલે આપણે પણ ચાલ્યા જઈ શકીએ છીએ. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. એની પહેલાં ગૃહત્યાગ કરીને શ્રમણ બનીને ચારિત્રધર્મ સ્વીકારી લેવો જોઈએ.'
બંને ભાઈઓએ શ્રીરામને પોતાની ભાવના કહી સંભળાવી અને નમસ્કાર કરીને ચાલી નીકળ્યા. ‘અમૃતઘોષ' મુનિશ્રીની પાસે જઈને દીક્ષા લઈ લીધી. જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરી. સર્વ કર્મબંધનો તોડીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની
ગયા.
મમત્વનો ભાર નીચે લઈ જાય છે:
મમત્વને જ પરિગ્રહ કહે છે. મૂછ કહો, મમત્વ કહો યા પરિગ્રહ કહો - બધા એક જ અર્થો છે. મમત્વ ભારે હોય છે. લોખંડ કરતાં પણ ભારે. લોઢા અને લાકડાનું બનેલું જહાજ સમુદ્રની સપાટી ઉપર તરી શકે છે, પરંતુ મમત્વ-પરિગ્રહ આસક્તિના ભારથી ભરેલો મનુષ્ય સંસાર-સાગરમાં ડૂબી જાય છે. નીચે...ખૂબ જ નીચે ચાલ્યો જાય છે. સંસાર-સાગરની નીચે સાત નરક છે. પરિગ્રહી જીવ નરકમાં નીચે ચાલ્યો જાય છે. અતિપરિગ્રહી જીવ - વિષયાસક્ત જીવ સાતમી નરકે જાય છે. એનાથી ઓછો પરિગ્રહી છઠ્ઠીમાં, એનાથી અલ્પ પરિગ્રહી પાંચમી નરકે. આમ ઓછા ઓછા થતા મમત્વવાળો જીવ ચોથી, ત્રીજી, બીજી, પહેલી નરકમાં જાય છે.
એટલા માટે મમત્વ તોડવાનો અને સમત્વ પામવાનો ઉપદેશ જ્ઞાની પુરુષો આપે છે. તું એકલો છે, એકલો જભ્યો છે, અને એકલો મરીશ, જે પૌદ્ગલિક વિષયો ઉપર મમત્વ કરે છે, આસક્તિ બાંધે છે, એ બધાં સાથે ચાલવાનાં નથી. મમત્વનો ભાર તને નીચે ઊંડા પાણીમાં ડુબાડી દેશે. તું નરકમાં ચાલ્યો જઈશ. અસંખ્ય વર્ષો સુધી દુઃખી થઈશ.’
શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે “જે વાસુદેવ હોય છે તે અવશ્ય નરકમાં જાય છે. કારણ કે તે મૃત્યુપર્યત પરિગ્રહનો ત્યાગ કરતા નથી અને તમામ બળદેવ સ્વર્ગ અગર મોક્ષમાં જાય છે. ઉપર જાય છે. કારણ કે તેઓ મૃત્યુ પહેલાં પરિગ્રહનો ત્યાગ કરે છે. મમત્વનો ભાર ઓછો કરે છે. અથવા સર્વથા ત્યાગ કરી દે છે.
આ જ રીતે જે ચક્રવર્તી મૃત્યુ સુધી પરિગ્રહી બની બેસે છે, તે અવશ્ય નરકે જાય છે. જેઓ મૃત્યુની પહેલાં મમત્વનો ત્યાગ કરે છે, તેઓ સ્વર્ગે અથવા મોક્ષે જાય છે. ૨૫૪
શાન્ત સુધારસઃ ભાગ ૧ |